________________
૧૩ મુંબઈનું યાદગાર ચાતુર્માસ
Annnnnnnn
સં. ૧૯૮૭નું ચાતુર્માસ અનેક રીતે ખૂબ પ્રવૃત્તિમય યાદગાર બની ગયું હતું. મુનિશ્રી બીલીમોરાથી મુંબઈ તરફ વિહાર દરમ્યાન અનેક સ્થળે મુંબઈના પ્રતિષ્ઠિત આગેવાને વંદન કરવા ગયા હતા અગાશી–મલાડ-શાન્તાક્રુઝ અને ભાવ બલા થઈ પાયધુની શ્રી આદીશ્વરની ધર્મશાળામાં પધાર્યા. અહીં આમેન્નતિ પર ભાષણ આપ્યું હતું. કેટના શ્રી સંઘ તરફથી મુનિયાનું ભવ્ય સ્વાગત થયું હતું. કેટના ભાઈબહેનના આનંદને પાર નહોતો. કાટમાં દહેરસરજીમાં દર્શન કરી મુનિશ્રી એ પરમાત્માસ્વરૂપ પ્રભુનું મિશન અને આત્મધર્મ ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું.
મા ચાતુર્માસમાં લે, વ્યાખ્યાને દ્વારા તેમણે જન જનતા અને ખાસ કરીને યુવક-યુવતીઓમાં ભારે જાગૃતિ આણી હતી. તેમના જાહેર વ્યાખ્યાન હીરાબાગ, માધવબાગ, ટાઉનહોલ, કેસ હાઉસ, મહાવીર વિદ્યાલય વગરે પ્રસિદ્ધ સ્થાનમાં મોટી માનવમેદની સામે થયાં હતાં. દરેક વ્યાખ્યાનમાં તેમની પ્રચંડ વકતૃત્વશક્તિને પ્રકાશ પડ્યો હતો. જેનેના તમામ ફિરકા ઉપરાંત જૈનેતર જનતાની પણ મોટી ઉપસ્થિતિ થતી હતી. જેનેતર વર્ગના અધિકારસંપન્ન પ્રતિઠિત પુરુષો પણ તેમના દરેક વ્યાખ્યાનમાં હાજરી આપતા હતા.
મહારાત્રીના કેટના ઉપાશ્રયના હરહમેશના વ્યાખ્યાનમાં પણ ઘાટોપર જેવા દૂર દૂરના સ્થળેથી પણ શ્રોતાઓ હમેશાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org