________________
૧૮
પરવા દોડી આવે. મહાત્મા ગાંધીએ ભારતની મુક્તિ માટે જેહાદ જગાવી હતી. હજારો રાષ્ટ્રપ્રેમી ભાઈ–બહેને, વકીલો ને ડોકટરો, શિક્ષક અને પ્રોફેસરો સ્વરાજ્યના સિપાઈએ બની જેલને મહેલ માની રહ્યા હતા.
આપણા ચરિત્રનાયક મુનિ ન્યાયવિજયજી રાષ્ટ્રપ્રેમી હતા. તેઓ માનતા હતા કે ધર્મનું સંસ્થાન દેશ સ્વતંત્ર હેય ત્યારે જ થઈ શકે.
અને આ જવલંત કાંતિકારી રાષ્ટ્રપ્રેમી મુનિવરે સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા નીચે મુંબઈના ટાઉન હેલમાં મળેલી સભામાં રાષ્ટ્રની મુક્તિ ઉપર બુલંદ અવાજે વ્યાખ્યાન આપી જૈન મુનિએ માટે રાષ્ટ્રના પ્રશ્નોમાં ભાગ લેવાનું એક નવું દ્વાર બોલી આપ્યું અને જેનેજગતને ચમકાવી દીધું. હજારે જન યુવાનયુવતીઓએ આ કાંતિકારી જૈન મુનિની ભૂરિ ભુર પ્રશંસા કરી. એટલું જ નહિ પણ જ્યારે ખાદીને પ્રચાર હિંદભરમાં જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે પોતે ખાદી ધારણ કરી અને પ્રભાવનામાં લાડુ કે પતાસાને બદલે ખાદીના કપડાંની લહાણું કરાવવાનું જાહસિક પગલું ભર્યું હતું અને ચરબીથી ખરડાયેલા મુલાયમ મલમલને બદલે જૈન સાધુ–સાધ્વી અને જૈન સમાજે ખાદી અપનાવવા ન સંદેશ આપે.
તેમના વ્યાખ્યાનથી પ્રભાવિત થઈ ઘણું બહેન-ભાઈઓએ ખાદીની પ્રતિજ્ઞા લીધી હતી. મુંબઈના આગેવાન શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલે પણ તેમના વ્યાખ્યાનથી પ્રભાવિત થઈ ખાદીની પ્રતિજ્ઞા લીધી હતી. આપણું ચરિત્ર નાયક મુનિશ્રીમાં રાષ્ટ્રપ્રેમ કે જ્વલંત હતા અને ટીકાની પરવા કર્યા સિવાય નીડરતાથી રાષ્ટ્ર માટે બલિબલિ થઈ જવાને ઉપદેશ આપે હતા. એ રાષ્ટ્રપ્રેમના પૂજારીએ જૈન જગતને એક નવો રાષ્ટ્રભક્તિને બાદર્શ આપ્યો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org