________________
મુનિશ્રીના આ ભગીરથ કાર્યને બીરદાવતાં કહ્યું છે કે પૂજ્યપાદથી ન્યાયવિજયજી મહારાજશ્રીએ પૂર્વાચાર્ય વર્ણિત વિવિધ જૈનધર્મ માન્ય તારિક પદાર્થોને વણું વણીને વર્તમાનયુગને અનુરૂપ ગંભીર ભાષામાં ઉતારી વિદ્વર્ગ અને જીજ્ઞાસુ જનતા ઉપર ખરે જ મહાન અનુગ્રહ કર્યો છે.
એમની મૌલિક કૃત્તિઓ સજવા પાછળ તેઓશ્રીનાં વર્ષોનાં તપ અને ચિંતન છે. તેઓશ્રીને જનદર્શન' પુસ્તક તો આજે વિશિષ્ટતા જ પ્રાપ્ત કરી છે અને નામના મેળવી છે.
નવયુગના વિદ્યાર્થીવર્ગને સરળ અને ગંભીરપણે જૈનદર્શનના હાર્દને સમજાવતું માતૃભાષામાં આજે આ એક જ પુસ્તક છે. એનું અધ્યયન, અવલોકન અને ચિંતન આપણે તાત્વિક ગુણ ગ્રાહિતાની દષ્ટિને લક્ષમાં રાખી કરવા જોઈએ.
આ ગ્રંથમણિ એ આપણા ચરિત્ર નાયકની જૈન જગતને અમર અમર ભેટ છે.
(
૧૨ રાષ્ટ્રપ્રેમના પૂજારી
દેશમાં શાંતિ ન હય, દેશની મુક્તિ માટે રાષ્ટ્રવ્યાપી અદિલને ચાલતાં હેય સ્ત્રી-પુરુષ, નવલોહિયા યુવાન-યુવતીઓ, અરે વિદ્યાથીઓની વાનરસેના આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરવા ધસમસી રહ્યા હોય ત્યારે રાષ્ટ્રપ્રેમના પૂજારી પણ પિતાને સૂર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org