________________
-
*
#
મ
.
પાંડિત્યના દર્શન લાધે છે.
ઉગતી યુવાનીમાં જ શાસ્ત્રોની ઊંડી પારગામિત પ્રાપ્ત કરી ગહન તત્વચિંતનમાં તેમણે પ્રવેશ કર્યો હતો જેના ફળસ્વરૂપે માત્ર ૨૫ વર્ષની યુવાન વયે વિધ્યાત્મ તત્ત્વાલક” તથા “ન્યાય કુસુમાંજલિ' જેવા શ્રેષ્ઠ ગ્રંથો અને તે પણ ધારાવાહી કાવ્યમાં પ્રસિદ્ધ કરી અમર કીતિ પ્રાપ્ત કરી હતી એટલું જ શા માટે તેમણે અધ્યાત્મ તત્વલોકની પ્રાકૃત આવૃત્તિ અને તે પણ પ૦૦ જેટલા લેમ આપીને વિદ્વાન જગતને ચકિત કરી દીધા હતા. તે “સત્તતા ' પ્ર થમણિ તેઓધીની વિદ્વતાના ગીતો ગાય છે.
એમને આ પ્રથમ ગ્રંથ વાંચીને ભારતના પ્રસિદ્ધ પંડિત થી મહાવીર પ્રસાદ દ્વિવેદી મા ઉગતા યુવાન સાધુની ઊચી કાવ્ય પ્રતિભા, જ્ઞાનવભવ અને તર્કસંગત દલીલે વાચા મુગ્ધ બની ગયા હતા. તેમણે મુનિશી પર લખેલે લાગે પત્ર તેની સાક્ષી પૂરે છે. એટલું જ નહિ પણ નાગપુર અને ઉજજૈનીના બ્રાહ્મણ પંડિતોએ પણ આજ સમયમાં “મિચ્છ જૈs: વિરામુ જસ્ટિાર:' આ તે વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ પંડિત અવધેષ છે સંસ્કૃત સાહિત્યના અદ્વિતીય મહાકવિ કાલિદાસ છે, એવી પ્રશસ્તિઓ સાથે એમને સન્માનપત્ર અર્પણ કર્યું હતું. પણ આ નિસ્પૃહી મહાત્માએ એ માનપત્રની એક પણ કેપી કદી સાચવવાની ખેવના રાખી નથી અને એ છપાયેલા માનપત્રની એક પણ કોપી તેમના પુસ્તા સંગ્રહમાંથી મળતી નથી.
આપણા ચરિત્રનાયક કેવા પ્રતિભાશાળી ઉચકેટિના વિદ્વાન હતા અને તેમણે કેવા કેવા ગ્રંથમણિની ભેટ જનજગત અને વિદ્વાનોને આપી છે તેનું મૂલ્યાંકન કરી શકાય એમ નથી. બસના વસુંધરામાં આ એક તેજસ્વી જ્ઞાનશીલ વારિધિ હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org