________________
૨૧
પાવાપુરીમાં ગુરુકુળ માટેની ગુરુદેવને ભારે ઝંખના હતી. વચને મળ્યા હતા. વિદ્યાથીએ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા પણ બનારસ પાઠશાળા તે નિર્નાથ થઈ જવાથી પાઠશાળા બંધ પડવાની પરિસ્થિતિ એવી ગઈ. આ સમયે શાસનરસિક દાનવીર શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ મણીભાઈ ગોકળભાઈ વગેરે બનારસ પાઠશાળાના હિતેચ્છુ છાના પત્રો આવવા લાગ્યા કે –
“ગુરુદેવ! આપના સિવાય આ પાઠશાળા ચાલશે નહિ બનારસ વિદ્યાધામ છે. આપ પાગપુરીમાં ગુરુકુળની ભાવના રાખે છે પણ બનારસમાં આપશ્રીએ સ્થાપેલી પાઠશાળા બંધ થઈ જશે તે આપના- મારા સમાજ કલ્યાણના મરથ ભાંગી પડશે. આ માટે વારંવાર વિનવિપત્રો આવતા રહ્યા અને લાભાલાભનો વિચાર કરી બનારસ તરફ વિહાર કર્યો. ૧૯૬૪ના વૈશાખ શુદિ ૩ ના રોજ પ્રાતઃકાળે ૫ નૂતન મુનિ સાથે પાઠશાળામાં પ્રવેશ કર્યો.
આ પ્રવેશ વખતે કાશીનરેશ તરફથી હાથી, ઘોડેસ્વાર, બેન્ડ વગેરે સામૈયામાં મોકલી ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું. ‘જૈન પાઠશાલાકા પુનરુદ્ધાર હુઆ. મહાત્માજી આ ગયે ' આવા પ્રકારનો શબ્દધ્વનિ ગલીએ ગલીએ, બજારે બારે સંભળાવા લાગે, પાઠશાળાના હિતેચ્છુઓને આનંદ , પઠન-પાઠન શરૂ થયું અને પાઠશાળાને પુનરૂદ્ધાર થયા. જેમાંથી સમાજને વિદ્વાને–પંડિત મળ્યા અને આજે ગુરુદેવની યશોગાથા ગવાઈ રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org