________________
આ ભૂમિ તે તેના પવિત્ર પરમાણુઓને લીધે આવકાદ આપી ભાશુદ્ધિ-આત્મશાંતિ અર્પનાર છે. ગમે તેવા ઉદાસી મનુષનું ચિત્ત પણ એક સમય પ્રકુલિત કરે છે. જળમંદિરની શોભા અપરંપાર છે. જંગલમાં મંગલ એવું મંદિર, પ્રભુની પાદુકા, ચમકારી મૂર્તિ, આસપાસનું અમીઝરતું શાંત પવિત્ર વાતાવરણ સૌ કોઈને આકષી જતું હતું.
અહીંના શાંત વાતાવરણ અને ભૂમિની પવિત્રતાથી આકર્ષાઈને ગુરુદેવને નવી ભાવના જાગી. આ મનોહર રળિયામણા શાંત પવિત્ર તીર્થધામમાં ગુરુકુળ સ્થપાય તે જેન-બ્રાહ્મણ વિદ્યાર્થીઓને જેધર્મના ઉપદેશ બનાવવા અભ્યાસ આદિની યેજના કરવામાં આવે તો ખરેખર આ પવિત્ર ભૂમિના ૨જકણેથી પ્રેરણા મળતી રહે અને સારા વિદ્વાન ઉપદેશ સમાજને આપી શકાય.
આ માત્ર વિચાર નહેતે પણ પાવાપુરીના દર્શને આવનાર યાત્રિમાં ઉપદેશ શરૂ કર્યો અને થોડા જ દિવસોમાં રૂા. ૮૫૦ ની માસિક રકમ ૧૦–૧૧ ગૃહસ્થોએ માપવા કબૂલ કર્યું. તેમાં રૂા. ૨૫૦ શેઠ વીરચંદ દીપચંદ તથા રૂા. ૧૦૦ રાયબહાદુર બાબુ બુદ્ધિસિંહજી દુધેડીયા તેમ જ રૂા. ૧૦૦ બાબુ માધવલાલજી દુગડે આપવા વચન આપ્યાં હતાં.
અહીં પાવાપુરીમાં પાંચે નવદીક્ષિત મુનિવરને વડી દીક્ષા ધામધૂમપૂર્વક આપવામાં આવી અને આ પવિત્ર ભૂમિની યાદ પાંચે મુનિવરોને પ્રેરણાત્મક થઈ પડી.
વડી દીક્ષાના સમયે બિહારવાળા બાબુ ગોવિંદચંદજી ધ—લાલજી વગેરે ગૃહસ્થાએ અઠ્ઠાઈ મહેત્સવ વગેરે ધામધૂમ ઘણી સારી કરી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org