SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - સાર્થક કરવા અને મધ્યામ જીવનનું રહસ્ય જાણવા ને માથુવા, સુનિધર્મની મહત્તા વગેરે સુધાભર્યા વચને નરસિંહભાઈના મનમાં ગુજતા હતા લગ્નજીવનની ઉદાસીનતા હતી અને દરમ્યાન માતા-પિતાનું અવસાન થયું અને માતા-પિતાને વિરહ અસહ્ય થઈ પડ્યો. લાનની વાત અધૂરી રહી. એક રીતે તે નરસિંહને લગ્નબંધનમાંથી મુક્તિ મળી. આ માતાપિતાના વિયેગમાં કુદરતને કોઈ અગમ્ય સંત હશે એટલુ જ નહિ પણ નસિંહનું જીવન ઈ ઉરચ અને આદર્શ માટે ઘડાવાનું હશે તેથી શેકને વિસારે પાડવા પોતાના કાકાશ્રી પોપટલાલ વખતચંદ પાસે પાલીતાણા તીર્થયાત્રા જવા માટે મંજૂરી માગી અને કાકાએ યાત્રા માટે રજા આપી. કાકાની જવાબદારી નરસિંહના લગ્ન માટેની હતી અને નરસિંહનો શેક એ છે થાય અને યાત્રા કરીને પાછો આવે ત્યારે લગ્ન માટે વિચાર કરો અને માતાપિતાની જે ભાવના અધૂરી રહી હતી તે પૂર્ણ કરવી. પણ કુદરતને તે મજૂર નહેતું ગૃહસ્થજીવન કરતાં અત્યંત ઉગ્ય અને પવિત્ર જીવન જીવી હજારાના જીવન ઉજાળી, હજારોને શાતા અને પ્રેરણા આપવા મહાન તત્વવેતા અને મહાકવિ થવા સાયેલ નરસિંહભાઈએ પાલીતાણું જવાને બદલે સીધા બનારસ તરફ પ્રયાણ કર્યું. ગુરુદેવના દર્શન, મિત્રોને સહવાસ, શાસ્ત્રોનો અભ્યાસ અને બનારસના જીવનને આનંદ માણવા આપણા ચરિત્ર નાયક તલસી રહ્યા હતા અને જ્યારે ગુરુદેવના ચરણે જઈને મસ્તક નમાવી એ પ્રતાપી ગુરુદેવના મંગલ આશીર્વાદ મેળવ્યા ત્યારે જીવન ધન્ય બની ગયું. નરસિંહભાઈની વિદ્યાભ્યાસની ઝંખના તથા બુદ્ધિપ્રભા જોઈને ગુરુદેવને સંતોષ થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy