________________
આપણા ગુરુદેવ એ ભૂમિના રત્ન હતા. નાનપણ તોફાનમસ્ત માં ગયું જુગારને ચ લાગ્યો અને પિતાના વચનબાણથી વીંધાઈને ગૃહત્યાગ કર્યો. ઉપડ્યા ભાવનગર અને ત્યાં શાંતમૂર્તિ ૫. થી વૃદ્ધિચંદજી મહારાજને વિનવીને તેમના શિષ્ય બનવા ભાગ્યશાળી બન્યા.
પ્રતિક્રમણના સૂત્રે પણ યાદ રહે નહિ. પણ ગુરુસેવામાં મગ્ન રહીને ગુરુદેવના મંગલ આશીર્વાદ મેળવ્યા “ધર્મવિજય! ધર્મને વિજય કરજે. મારા મંગલ આશીર્વાદ છે.” અને ચમત્કાર થયો. સરસ્વતીદેવી જીભે વસ્યા અને બુદ્ધિ સભા ખીલી ઊઠી
ગુરુદેવનો વિરહ અસહ્ય બને પણ સાંત્વન લઈને આશીર્વાદનું પાથેય બાંધી ધર્મબંધ માટે નીકળી પડયા. જુગારને પાટલેથી ધર્મની પાટે પહોંચી ગયા. એવા જ ૧ આચાર્ય નેમીસરીશ્વરજી મહારાજ પણ મહુવાના રતન હતા.
એ પણ ૫. શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદજી મહારાજના જ શિષ્ય હતા. તીર્થોદ્ધારક અને સૂરિસમ્રાટ બન્યા. 1 શ્રી નથુ મંછાચંદ મહાન જાદુગર પણ મહુવાના રત્ન થઈ ગયા આપણું ગુરુદેવ તે દીર્ઘદૃષ્ટા હતા. બનારસમાં જેમ યશોવિજયજી પાઠશાળામાંથી વિદ્વાને તૈયાર કર્યા તેમ વીરતત્વ પ્રકાશક મંડળનો પણ એ જ ઉદ્દેશ હતો.
તેઓશ્રીએ પાશ્ચાત્ય દેશોના અનેક વિદ્વાનને જનધર્મમાં રસ લેતા કર્યા અને તેમનું શિષ્યમંડળ પણ તેજસ્વી હતું. શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને સાહિત્યપ્રચારમાં પણ તેઓ એ ભારે કામ કર્યું છે. કાશીના જે વિદ્વાન પંડિતો તેમને બોલાવતા મહેતા તે તેમની વિદ્વતા-સર્વ ધર્મ સમભાવ અને પ્રેરક પ્રવચનથી વાકર્ષાઈને તેમને આચાર્ય પદવી આપે છે એનું મૂલ્ય ઘણેરું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org