________________
તે આવતી કાલે શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના શ્રીગણેશ મંડાશે. આ વિધાને જનધર્મને પ્રચાર કરશે અને અનેક ગ્રંથરત્નોના રચયિતા બનશે તેના પુણ્યભાગી તમે જ તમે બનશે.'
આ મધુરી વાણુએ જાદુ કર્યા અને વાતવાતમાં રૂા. ૨૦૦૦૦ વીસ હજાર થઈ ગયા. મહારાજશ્રીની ભાવના ફળી અને સંધમાં નવીન પ્રસ્થાન માટે આનંદ પ્રસરી રહ્યો.
નવલખાના બંગલામાં પાઠશાળાની શરૂઆત કરવામાં આવી. અધ્યયન કરાવવા પંડિતેની વ્યવસ્થા પણ કરવામાં આવી. આ કાર્યમાં વિરમગામના પ્રષિદ્ધ વકીલ શ્રી છોટાલાલ ત્રીકમલાલ પારેખને મોટો ફાળે હતો.
આજના પ્રાચીન ભાષાઓના પ્રમાણભૂત વિકતવ પંડિત બેચરદાસ તથા બીજ ૧૫-૨૦ વિદ્યાએથી પાકશાળાની શરૂઆત થઈ. આપણા ચરિત્રનાયક મુનિશ્રી ન્યાયવિજયજી એ વખતના ભાઈ નરસિંહ છગનલાલ આ પદ શાળામાં જોડાયા અને થોડો સમય પાઠશાળા ચાલી. મહારાજશ્રી ધર્મવિજયજી દીર્ઘદ્રષ્ટા હતા. તેમને નવીન વિચાર સૂઝયો કે માંડલમાંની પાઠશાળાને કાશીબનારસ જેવા વિદ્યાધામમાં લઈ જવામાં આવે તો ત્યાં પ્રખર પંડિતેના સહવાસમાં સારા એવા વિદ્વાને તૈયાર થઈ શકે.
આ વિચાર વિદ્યાર્થીઓને પણ તમે અને સારા દિવસે ૮-૧૦ વિદ્યાર્થીઓ સાથે મહારાજશ્રીએ બનારસ તરફ વિહાર કર્યો. આ ધર્મકૂચમાં આપણા ચરિત્રનાયક નરસિંહભાઈ પણ જોડાયા. જેમાં શ્રી સકરચંદ મગનલાલ, શ્રી સવચંદભાઈ દામોદરદાસ, શ્રી મફાભાઈ છગનલાલ તથા શ્રી મફાભાઈ દેસાઈ વગેરે મુખ્ય હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org