SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જન્મ માંગલ્ય માંડલમાં છગનલાલ વખતચંદ ધર્મનિષ્ઠ ગૃહસ્થ હતા. તેમના સુશીલ ધર્મપત્ની દીવાળીબાઈને પુત્રની ઝંખના હતી. ધર્મ પસાયે તેઓ સગર્ભા થયાં અને મનમાં આનંદ આનંદ થઈ રહ્યો. નવનવા સેલુલાં લાવ્યાં અને એક વખત તે પ્રભુની પૂજામાં એક અણમોલ પુષ્પ ચડાવતાં ભારે હર્ષિત થયા. એ વખતે કલ્પના નહોતી કે આવનાર બાળપુષ્પ કોઈ ગભ્રષ્ટ આત્મા હશે અને તેને પ્રભુના પગામ સંભળાવવા અને ધર્મની ઘોષણા કરવા એ પ્રભુને ચરણે ધરવો પડશે. ૧૯૪૬ ના કાર્તિક શુદિ ત્રીજના મંગળ દિવસે માતા દિવાળીબાઈએ પુત્રરત્નનો જન્મ આપ્યો. માતા પિતા ધન્ય ધન્ય બની ગયા. કુટુંબીજને અને પાડોશીઓ પણ હર્ષિત થયા બાળાનું ગૌર વર્ણ, વિશાળ લલાટ, ચમકદાર અખડીઓ, મિત ઝરતું મુખાવિદ જોઈ જોઈને માતાના આનંદનો પાર નહેતો. બાળક ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગે. ભવિષ્યમાં આ બાળ પુરુષમાં સિંહ સમાન બનવાને થોગ હશે તેથી બાળકનું નામ નરસિંહ રાખવામાં આવ્યું. આ નરસિંહ માતા-પિતાનું એક માત્ર સંતાન હાઈને તેના લાલનપાલનમાં માતા-પિતા રાચતા હતા, બાળક નરસિંહ હસમુખ, શાંત, સરલ, હેતાળ, આનંદી હવે અને માતાપિતાના ધર્મના સંસ્કાર તેનામાં અંકુરિત થતા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy