________________
૪
માંડલની ભૂમિમાં ક્રાંતિના બીજ પડેલાં છે અને તેની ચેતના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચી છે.
અંતરજાતીય લગ્નમાં પણ મડિલે પહેલ કરી છે. એટલું જ નહિ પણ અાંતરજાતીય રોટીની છૂટ પણ માંડલથી શરૂ થઈ છે. ઈ. સ. ૧૯૨૧ માં આજથી પચાસ વર્ષ પહેલાં હરિજનેને અપનાવવામાં માંડલે અગ્ર ભાગ ભજવ્યે હતો. રાષ્ટ્રિય જાગૃતિના પર ઘસમસતા આવી રહ્યા હતા ત્યારે બંગભંગની ચળવળમાં કે આઝાદીની લડતમાં પણ મડિલના યુવાન હૃદયે એ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
માંડલે કેટલીક વિભૂતિઓ આપી છે તેમાં આપણા ચરિત્ર નાયક મુનિરત્નશ્રી ન્યાયવિજયજી પ્રગતિશીલ સુધારાનું મૂર્તિમંત સ્વરૂપ હતા. જ્યારે આચાર્ય શ્રી શાંતિવિજયજી સ્થિરગામી પ્રકૃતિનું સ્વરૂપ છે. અને મુનિશ્રી જ બુવિજયજી અદ્વિતીય વિદ્વાન અને બન્ને વિચારધારાઓ વચ્ચે પૂલ જેવા છે.
માંડલે રાષ્ટ્રીય શિક્ષણને શ્રીગણેશ ૫૦ વર્ષ પહેલાં માંડીને રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી અને નવી પેઢીને સુસ સ્ટાર, સેવા અને રાષ્ટ્રપ્રેમના મંત્ર આપ્યા છે.
માંડલની ગૌરવગાથા જોઈ ગયા. આપણા ચરિત્રનાયક મુનિ શ્રી ન્યાયવિજયજીના જન્મ-માંગલ્યનું દર્શન કરીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org