________________
* ૧ માંડલની ગૌરવગાથા
માંડલ તીર્થધામ, વિશ્વાધામ, યાત્રાધામ અને વ્યાપારધામ તરીકે પ્રસિદ્ધ છે. નવા નવા વિચારોના પ્રવાહને ઝીલવા અને તેને અપનાવવાનું કાર્ય માંડલે કર્યું છે. કાન્તિના બીજ માંડલની ભૂમિમાં પથરાયેલા છે અને એક બાજુ રણ પ્રદેશ-બીજી બાજુ પાણીભર્યો નળકાંઠે-એટલે સૌરાષ્ટ્ર તરફ જવાના માર્ગ ઉપર માંડલ આવેલું છે અને તેથી જ મડિલે અનેક સવારીઓ જોઈ છે અને તેના ઘા પણ ઝીલ્યા છે. જ્યારે જ્યારે મુશ્કેલીભર્યો ઝંઝાવાતે. આવે ત્યારે કુનેહથા માર્ગ કાઢવાની ચતુરાઈ માંડલના યુવાન હૃદયમાં હોય છે. સમાજ અને દેશના ક૯યાણ માટે સમયાનુકુળ પરિવર્તન કરવાનું માનસ માંડલ ધરાવતું હોવાથી નવનવા પ્રસ્થાનના શ્રી ગણેશ માંડલમાં થયા છે અને તે યશસ્વી નીવડ્યા છે.
વનરાજ ચાવડાએ ગુજરાત પર આવતા આક્રમણને રોકવા માટે માંડલમાં પથ્થરને પાકે કિલ્લે બા હતું. તેથી જ ૧૦૨૫ ની મહમદ ગઝનીની સવારીથી માંડી ૧૪૮૭માં થયેલી મહમદ બેગડાની સવારી સુધી જે જે આક્રમણે આવ્યાં તેને માંડલના શુરવીરોએ નવી ચેતનાથી સામને કરીને તેઓના દાંત ખાટા કરી મૂક્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org