________________
આમ માંડવને શક્તિશાળી જાણીને ભિન્નમાલથી આવેલ જેને વણિએ માંડલમાં વસવાટ કર્યો અને વ્યાપારધામ બનાવ્યું.
એ ધર્મપ્રેમી શ્રીમંતોએ મડિલમાં બાવન જીનાલયનું ભવ્ય મંદિર બંધાવ્યું અને મૂળરાજ સોલંકીએ મૂળેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ઊભું કરી મડિલને તીર્થધામ બનાવ્યું.
૧૩૩૬ માં શ્રી હરિ ઉલ્લેખ કરે છે કે ગુજરાતના મહાન ૬ તીર્થધામમાં માંડલ એક અગત્યનું તીર્થધામ બન્યું હતું અને એથી જ મંદિરના ઉત્સવ પ્રસંગે હજારો લે દૂર દૂરથી એની યાત્રાએ આવતા ને ત્યારે માંડ માં મહાન મેળે જામત.
મૂળેશ્વર મહાદેવના મંદિર સામે જ ભીમદેવે ગીમઠની સ્થાપના કરી હતી જ્યાં ગુરુ વંદગર્ભ રાશિ પાસે રહી સેંકડે વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. આમ માંડલ તીર્થધામ સાથે સાથે વિદ્યાધામ પણ હતું.
આ ભૂમિમાં સાહિત્યના મહાન ગ્રંથો રચાયા છે. તેમજ ગુજરાતના મહાશર સુપ્રસિદ્ધ મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળ આ ભૂમિને ઉછેરમાં વિદ્વાન અને કવિ બન્યા છે.
પ્રગતિશીલ વિચારધારાથી ઘડાયેલ મડિલે પરિવર્તને કરવામાં પહેલ કરી છે. તેને એક પ્રસંગ યાદગાર બની ગયું છે.
જયારે મંત્રીશ્વર આશરાજે વિધવા લગ્ન કર્યું દેવાથી ઈ આશ્રય નહતું આપતું ત્યારે માંડલે જ એમને આશ્રય માપવાની નૈતિક હિંમત બતાવી હતી.
શા આર્યશક્ષિતરિના નવા વિચારોને અપનાવી લઈ જયારે ગુજરાતના એક પણ ગામમાં અચલગરના પાયા ઊંડા નખાયા નહતા ત્યારે માંડલે અલગરછ અપનાવ્યો હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org