SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પીડા કેટલી બધી હશે એ કે જાણી શકે? છૂટા જંગલમાં મુક્તપણે વિહરતા સિંહને બાંધીને છ ફૂટના પાંજરામાં કેઈ ફરે અને નાના નાના તેફાની છોકરાઓ પણ એને કાંકરા મારે એ વખતે સિંહને શું શું થતું હશે એ કોણ કહી શકે? આવી સ્થિતિ જૈન સમાજમાં મુનિ ન્યાયવિજયજીની હતી. મને ખબર છે કે જીવનમાં એમને એવા પ્રસંગે પણ આવ્યા છે કે જયારે એક ગામથી તિહાર કરીને થાક્યાપાળ્યા બીજા ગામમાં આવ્યા હોય અને ગામમાં ઉપાશ્રય હોય છતાં ક્રિયાકાંડીઓના પ્રભુવને લીધે ઉપાશ્રયમ એમને ઉતરવા પણ ન દીધા હોય અને ગામ બહાર જઈને ઝાડ નીચે એશને વિશ્રામ લેવે પડ્યો હોય અગિણે આવેલા ભિખારીને પણ લોકે પાણી પાય છે. રોટલ આપે છે. જ્ય રે આમના જેવા મુનિને સાધુઓ માટે બનેલા ઉપા શ્રયમાં ચણ આશ્રય મળ્યો નથી. તાત્પર્ય એ છે કે રામજ વગરના ધર્મને અજ્ઞાન ક્રિયાકાંડ માણસને હંદવહીન બનાવી દે છે. એમન માં માણસાઈ મરી જાય છે. એથી ઉલટું, હું રાજકેટ પ્રજાપરિષદની લડતમાંથી મુનિ ન્યાયવિજયજીને મળવા માટે જામ ખંભાળીવા ગયે હતે. શ્રાવકેના ઘર ત્યાં હતા કે નહીં તે તે ખબર નથી પણ આખું ગામ એમનું ભક્ત હતું. આત્મીય મા મળે ત્યારે સહેજે પ્રસન્નતા થાય. મારા જવાથી ન્યાયવિજયજીને પ્રસન્ન જોઈને ગામના એક આગેવાન ગૃહસ્થ મને કહેવા લાગ્યા કે તમે આવ્યા છે તો મહારાજ ખૂબ પ્રસન્ન રહે છે. માટે તમે થોડાક દિવસ વધારે રહી જાઓ. એમની પ્રસન્નતા માટે મને બે દિવસ વવારે રોક્યો એટલી બધી ભક્તિ કોની મહારાજ ઉપર હતી ઉપરાંત મને એ કહેવા લાગ્યા કે અમે તે. એમને વિનંતિ કરીએ છીએ કે તેઓ હંમેશા અહીં જ રહે એમના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy