SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબમાં એમણે મને ના પાડી. ત્યારે મેં કહ્યું કે જો તમારું આ ચિંતન પ્રકાશમાં ન આવે તે આ તમારા સંપાદન કરેલા આગમે ગમે તેટલી ઊંચી કોટિના હેય તે પણ તે માત્ર જૈન સાધુઓને કે શબ્દ પંડિતોને પારાયણ કરવા પરતા રહેશે. વિદ્વાનોને કે સ્કલરોને કે સંશોધકોને બહુ ઉપયોગી નહી થાય. એલરને કે વિચાર વિદ્વાનોને આગની વાચના કેટલી શુદ્ધ છે કે અશુદ્ધ છે એ ગૌણ વસ્તુ છે. વાચનાનું મહત્વ જૈન પરંપરાના સાધુઓને છે. સ્કોલરો કે ઇતિહાસકારોને કે સંશોધકેને અંદરની વસ્તુ અને તેના ઉપર ચિકિત્સાપર્વકની સમાલોચના ઉપયોગી થાય છે. જે તમને સમય ન હોય તે આપણું મા બધી ચર્ચાઓ હું લખતે જઉં. પણ તમારા અને મારા લખાણમાં ફેર રહેશે. કારણ કે માણસના લખાણમાં માણસનું હૃદય ઉતર છે. વળી તમારી ભાષા બહુ વિનીત છે. એટલે એ તમારે જ લખવું જોઈએ. આમ જે ન બને તે તમારા આખા જીવનનું આગમો ઉપરનું ચિંતન-મનન વ્યર્થ જ છે અને વિશ્વને વિદ્વાનવ મહત્વની વસ્તુથી વંચિત રહી જાશે. મારી વાત સાંભળીને એમને ચહેરા ઉદાસ થઈ ગયે, પહેલાં તે મને સમજાયું જ નહીં કે મારી વાતથી તે એટલા બધા ખિન્ન કેમ થઈ ગયા. પણ પછી થોડી વારે અત્યંત દુઃખપૂર્વક મને કહ્યું કે “બેલાણી ! તમારી વાત છેટી નથી એ હું સમજું છું. મેં પણ એના ઉપર મંથન કર્યું છે. પણ તમે જાણે છે કે એક ચિથરા જેવી નમાલી તિથિચર્ચા કે જેને આગમધમ કે આત્મધર્મ સાથે કશું લાગતું વળગતું નથી, એણે પણ સમાજમાં કે દાવાનળ પ્રગટાવ્યું છે? એ તિથિચર્ચાને લીધે ભગવાનની આખી શાસન વ્યવસ્થા અંદરથી ખલી થઈ ગઈ. ગામેગામના સંઘમાં વિક્ષેપ ઉભે થયે, શેરીએ શેરીએ અને ઘર ઘરમાં ઝગડા થયા, સામાજિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy