SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ મહારાજા સયાજીરાવના સેક્રેટરી ગોવિંદભાઈ એમના ભક્તો બ ની ગયા. મુનિ એ એમને કહ્યું કે આવી શાસ્ત્રવિરૂદ્ધ અને માનસવિરૂદ્ધ બાળદીક્ષાઓ કાયદાથી બંધ થવી જોઈએ. તમે બાવી દીક્ષાઓને કાયદાથી બંધ કેમ નથી કરતા? એ વાત ગોવિદભાઈએ મ. સયાજીરાવને કરી. સયાજીરાવ વિચક્ષણ રાજપુરૂષ હતા. પ્રજાના પ્રત્યાઘાત ઉપર એમનું ધ્યાન બરાબર રહેતું. છાણ ગામ દીક્ષાનું મથક ગણાતું. તેના પડઘા વડોદરામાં પણ પડતા જ. એથી વડોદરાનું વાતાવરણ પણ ડહોળાતું. આ બધું સયાજીરાવના ધ્યાનમાં તે હતું જ. ઉપરાંત સયાજીરાવ સુધારક રાજવી હતા. એમણે નકકી કર્યું કે બાળદીક્ષા વડોદરા સ્ટેટમાં કાયદાથી બંધ કરી દેવી, પણ રાજ પ્રજાના ધર્મોના પક્ષપાતી ન ગણાય એટલા માટે એમણે બાળસંન્યાસને પણ સાથે જોડોઆ રીતે “બાળસંન્યાસ દીક્ષા પ્રતિબંધક” કાયદાનો ખરડો તૈયાર થવા લાગે. આને અંગે મ. સયાજીરાવે મુનિ ન્યાયવિજયજીની એક બે મુલાકાત પણ લીધી અને દીક્ષા વિષે જૈનશાસ્ત્રના વિધાને પોતે પણ સમજી લીધા. આવા ધમધમતા વાતાવરણમાં અકસ્માત માર ખંભાતથી વડોદરા આવવાનું થયું. મને મનમાં થયું કે ખંભાત સુધી બા છું અને મુનિ ન્યાયવિજયજી વડોદરામાં છે તે એમને મળતો જઉં. મને જોઈને એ ખુશી થયા. ખુશી એટલા માટે થયા કે શાસ્ત્રોમાંથી દીક્ષાના વિધાને શોધવા, તે બધાને તારવીને અલગ લખવા, તેનો અનુવાદ કરો, તેના ઉપર વિવેચન લખવું આ બધું એમને એકલા હાથે કરવું પડતું હતું. એમાં સહાયક થઈશ એમ માનીને મને વડોદરામાં રોળ્યો. શાસ્ત્રોમાં જ્યાં જવાં દીક્ષાના વિધાને હતા તે બધા તારવ્યા અને તેને સંગ્રહરૂપે બે પુસ્તિકાઓ તૈયાર કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy