SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૭ ઠાલવ્યો છે? એ વખતને અજ્ઞાની સમાં જ જ્ઞાનના પુંજ જેવા આવા મેગીને શી રીતે સાંખી શકે? અંધકાર અને પ્રકાશ બને એક સાથે રહી જ શી રીતે શકે? આ સાધુસમાજ એમને વિરોધી રહ્યો હતો અને યશોવિજયજીને રંજાડતો રહ્યો છે. માત્ર વિનયવિજયજી મહારાજ એમને ઓળખી શક્યા અને સાથ આપતા રહ્યા. ઉપાધ્યાયના લખેલા ગ્રંથે ક્યાં ક્યાંથી મળી આવ્યા છે ! એમના પુસ્તકે એક સ્થળે રાખવા જેટલી સગવડ પણ કઈ સંઘે એમને આપી નથી. આવા વિરોધ વચ્ચે રઝળતા ફકીરની માફક તેમને પિતાનું જીવન વીતાવવું પડયું હતું. આવી જ સ્થિતિ મુનિ ન્યાયવિજયજીના સમયમાં હતી. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની માફક જ. મુ. ન્યાયવિજયજીએ માગમ અને પંચાંગીના નામે ચાલતી મનસ્વી કડ ક્રિયાકાંડી પ્રવૃત્તિ સામે મનને ઉકળાટ ઠાલવ્યો એથી આ સાધુ સમુદાય અને એને ઉકેલ જુનવાણી શ્રાવક વર્ગ છે છેડાઈ પડ્યો. બાળ દીક્ષાની પ્રવૃત્તિ પણ પૂરવેગે ચાલતી હતી. નાના નાના બાળાને, સંતાડી, ભગાડી સમજાવી-ભરમાવીને દીક્ષાઓ અપાતી. એ સામે મુ. ન્યાયવિજયજીને પુન્ય પ્રકોપ જાગી ઊઠયો. બાળદીક્ષાનો કડવો અનુભવ પોતાના જીવનમાં જ થયેલો એટલે બાળદીક્ષા વિરૂદ્ધ વ્યાખાને આવવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે બાળદીક્ષા શાસ્ત્રવિરૂદ્ધ તો છે જ પણ તેવી દીક્ષા બાળકોના જીવન ઉપર ૪ ત્યાચાર રૂ૫ છે. એ જ અરસામાં એ વડોદરા આવ્યા. તે વખતે બાળદીક્ષાના સ્વરૂપે ઉગ્રરૂપ ધારણ કર્યું હતું. ત્યાં એમના જાહેર વ્યાખ્યાને થયો. તેમના વ્યાખ્યાનમાં ઓફીસર વર્ગ પણ આવતો. સ્ટેટના મોટા અધિકારીઓ પણ આવતા, તેમના વ્યાખ્યાને સાંભળીને વડોદરા રાજ્યના ન્યાયમંદિરના વરિષ્ઠ ન્યાયાધીશ શ્રી ધુરંધર સાહેબ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy