SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ દીક્ષા આપવામાં સાધુએ દીકરાના લગ્નનો લહાવો લીધા જેવો ઉ૯લાસ માણે છે. એ ઉંમરમાં શી ખબર પડે કે દીક્ષા શું કહેવાતી હશે. સંસારનો કે જીવનને કશો અનુભવ નહોતે. માવી બેધ અવસ્થામાં અપાયેલી દીક્ષા દરેકને આકરી પડે. છતાં નિષ્ઠાપૂર્વક અને સચ્ચાઈથી ભ૦મહાવીરને જીવન સમર્પણ કરીને ચારિત્ર પાળતા રહ્યા, ધીમેધીમે જગતને પ્રકાશ મળે. વિશ્વસાહિત્ય વાંચ્યું. દેશભ્રમણને લીધે જગતનું ચિત્ર સામે આવ્યું. આગમ વાંરયા. બીજા શાસ્ત્રો વાંચ્યા અને બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ તેમ વિચારમાં ક્રાંતિ આવતી ગઈ, માસનું જીવન સમજવા માટે તેની આસપાસની પરિસ્થિતિ સમજીએ તે જ તેનું ખરું વ્યક્તિત્વ સમજી શકાય. ગીધી મહાત્મા કહેવામાં તે હિદુસ્તાનની તે વખતની ગરીબ, પરાધીન અવસ્થામાં જગ્યા માટે મહાત્મા કહેવાયા. પણ કોઈ સ્વતંત્ર સંપન્ન દેશમાં જન્મ્યા હતા તે તેમની તકલી અને સત્યાગ્રહની વાત કેઈએ સાંભળી પણ ન હોત. એમ મુનિ ન્યાયવિજયજીનું ભુવન સમજવા માટે તેમની આસપાસનું સામાજિક વાતાવરણ અને સમાજની પરિસ્થિતિ સમજીએ તે જ તેમનું વ્યક્તિત્વ સમજી શકાય. તે, તેમની આસપાસનું સામાજિક વાતાવરણ સાવ જૂનવાણી રૂઢિચુસ્ત, સંકુચિત, અને પાકેલા હરનિંગલ ગુમડા જેવું હતું. જુનવાણ અજ્ઞાન વાતાવરણમાં બાહ્ય ક્રિયાકાંડ જ ધર્મ મનાય છે. ભાવ કે સમજ એમાં હોતી નથી. મહાવીરને ધર્મ કે આત્મધર્મ એમાં મળે નહીં. કેવળ અજ્ઞાન ક્રિયાકાંડની જડ પ્રવૃત્તિ જ મહાવરના ધર્મને નામે વ્યાપક હતી. એમાં, આ પુરુષ આગમજ્ઞાની હતા. આગમમાં બતાવેલા ધર્મ સાથે આ પ્રિાણ ક્રિયાકાંડી પ્રવૃત્તિને મેળ જ નહીં. જુનવાણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy