________________
એજ ગ્રંથ પાછળથી પ્રાકૃત ભાષામાં પણ માત્તત્તા પણ કાવ્યમાં લખે. બીજા પણ ત્રીસેક ગ્રંથે કાવ્યમાં લખ્યા.
ઉંજનના પંડિતોએ એમના ગ્રંથો જોઈને કહ્યું હતું કે મિચ્છS: વિાકુ વાટીવાર: ? આ મુનિ અશ્વઘોષ છે કે કાલીદાસ છે? વાસ્તવમાં એમના ગ્રંથમાં અશ્વ ષ અને કાળીદાસ બનેની પ્રતિભા એક સાથે જોવા મળે છે.
મેટા નામથી અંજાઈ ન જઈએ અને જુનું એટલું સોનું માનવા લલચાઈએ નહીં તો કહેવું જોઈએ કે શ કરાચાર્યના વિવે
#મ િગ્રંથ કરતાં પણ ન્યાયવિજયજીના ગ્રંથમાં અધ્યાત્મની અનુભૂતિ અને કાવ્યની પ્રતિભા વિશેષ ચડીયાતી છે. એમના કેટલાક ગ્રંથે ભારતીય સાહિત્યમાં અમર ગ્રંથ ગણાશે.
આ તો થઈ એમના શાન વિષેની વાત; પણ જ્ઞાન અને જીવન એ બે વસ્તુ જુદી છે. જ્ઞાન જીવનની શોભા, જીવનને આનંદ છે. જીવન જુદી વસ્તુ છે જેમાં માણસની પ્રવૃત્તિઓ સાથે આત્માના ગુણદોષ અને મનના ભાવ પ્રકટ થાય છે.
તો, જીવન ની રહેણી-કરણમાં એ સાવ સાદા હતા. એકદમ નિરીહ-વસ્તુ મળે તે ઠીક, ન મળે તે ઠીક, નિષ્કિચન-કાઈ જાતને પરિગ્રહ નહીં. બાળસુલભ નિર્મળ હૃદય, સામાના દોષ જતા કરવાની મહાનુભાવતા, સરળ પ્રકૃતિ, નિંદા-સ્તુતિવા પર, નિરભિમાનવૃત્તિ, અપમાનને પણ ઉદારતાપૂર્વક ગળી જઈને સામાનું કલ્યાણ ઈચ્છે વિરોધીને કશા ડંખ વગર આદર આપતા મેં જોયા છે. દેશીઓ તરફ ઉપેક્ષા ભાવ, આ બધા એમના આત્મિક ગુણો હતા.
બાળવયમાં જ એમને દીક્ષા આપેલી. સગપણ થઈ ગયું હતું. એને પણ વિચાર કર્યા વગર દીક્ષા આપી. તે વખતે આખા માંડલ ગામને વિરોધ થયો હતો. છતાં દીક્ષા આપી. નાના બાળકને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org