________________
બૌદ્ધોનું બોધિવૃક્ષ ગયામાં હતું કે સરનાથમાં હતું, ગંગાકિનારા પર હતું કે ગંડકીના કિનારા પર હતું, આવી ફિજુલ ઐતિહાસિક ગષણાઓમાં દર્શનના આદર્શોનું માપ કાઢે છે તે મને ગમતું નથી.
હું તે મારા ઘણાં ઈતિહાસવેત્તા મિત્રોને મળું છું અને નાની નાની બાબતમાં મોટા મોટા નિબંધ લખાયેલ દેખું છું છું ત્યારે મને તે એમ લાગે છે કે મૃત કલેવર ઉપર જે પોસ્ટમેર્ટમ કરવામાં આવે છે તેવી રીતનો તેમને પ્રયાસ છે એવા શબ્દ તે હું ઘણીવાર હાસ્યમાં ઈતિહાસના નિબંધકારને કહેતા રહું છું. આ ખટપટ કરતાં આત્માની, પુનર્જન્મ, કર્મના વિપાકની, ગતિ-અગતિના ભ્રમણની વિચારણા ઉપર ઊડું અનવેષણ થાય તો જનતાને લાભકારી છે.
એટલે આપ જેવા તત્વ, ચિંતકોને અને સાધકોને વિનંતી છે કે જેનદર્શનના જીવનને વિકાસ કરતી તત્વ ગવેષણાર્ણ માન્યતાએને જગતની સામે રજૂ કરવા પ્રયાસ કરવા આપના જૈનદર્શનનું અંગ્રેજી પ્રકાશન ભૂથિકા માટે બહુ ઉપયોગી લાગે છે. સુંદર શૈલીમાં પર્યાપ્ત ભાષામાં અંગ્રેજી અનુવાદ થાય તેવું ઈચ્છું છું. લેખનમાં અવિનયાદિ દેષ સેવાયો હોય તે ક્ષમા કરશો.
લિ.
સેવક રાષભદાસજીના વંદન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org