________________
અતરયાત્રા
મદ્રાસના ધમ મૂર્ત સ્વામી ઋષભદાસજીએ ૧૦ વર્ષ પહેલાં પૂ. મુનિશ્રીને લખેલા પત્ર મનનીય અને જૈન દર્શનને જગત સમક્ષ મૂકવાનું મહામૂલું સૂચન વિચારણીય બની રહેશે.
મદ્રાસ
તા. ૨૯-૬-૬૬ પૂજ્ય મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજ,
અમારી જન વિજ્ઞાન સોસાયટી જેની એક ઓફિસ બેંગલોરમાં છે અને લગભગ ૩૪ વર્ષથી જૈન દર્શનના પ્રચાર કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરતી આવી છે, અને ખાસ કરીને સમુદ્ર પારના પ્રદેશમાં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા પુસ્તકેનું ખૂબ આદાનપ્રદાન કર્યું છે અને હજાર રૂપિયાના પુસ્તક અહીંથી લઈને દરેક યુનિવર્સિટીમાં મોકલ્યા છે અને અમારી “Outlines of Jain Philosophy” જે થોડાં વર્ષ પવે પ્રકાશિત કરવામાં આવી હતી તેની ખૂબ સારી માંગણી વિદેશથી આવી રહી છે અને ઘણુ વર્ષ પૂર્વે આ ચોપડી જોઈ જાપાન–અમેરિકાથી સોસાયટીને સાધારણ ભેટ રકમો પણ મળી હતી અને હવે તેનું ફરી પ્રકાશન કરવા વિચાર છે. આની સાથે આપને “જૈન દર્શન અને અનુવાદ પણ બહાર પડી જાય તે અમારી સેસાયટી તરફથી થોડી કેપીએ ખરીદી વિદેશમાં સાથે મોકલશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org