SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શાળા છેડીને મા પાઠશાળામાં જોડાઈ ગયા. અને ખંતપૂર્વક જનધર્મને અભ્યાસ કરવા લાગ્યા. હોશિયારી તો હતી જ, એમાં ભૂખ્યાને ભાવતું ભોજન મળ્યા જેવો યોગ બની ગયો. નરસિંહને પહેલા નંબરના વિદ્યાર્થીની નામના મળી, ઉચ્ચ કોટિના વિદ્વાનેપંડિતે તૈયાર કરવા હોય તે કાશી જેવા વિદ્યાધામમાં જ આ પાઠશાળાને લઈ જવી જોઈએ. બીજે જ વર્ષે પાઠશાળાને કાશી લઈ ગયા. નરસિંહ પણ કાશી પહોંચી ગયા. ગુરુને આ મોતી પાણદાર લાગ્યું. બરાબર ભણે તે વિદ્વાન થાય અને શાસનની શોભા પણ વધે. ગુરુશિષ્ય વચ્ચે ધર્મ સ્નેહના તાણાવાણા ગૂંથાવા લાગ્યા. સગપણના બંધનથી કશી ફિકર કર્યા વગર ૧૯૬૨ માં ફરી કાશી પહેચી ગયા. ૧૯૬૩માં મહારાજ શ્રીએ પાંચ તેજસ્વી નવયુવકેને દીક્ષા આપી. એમાં નરસિંહનો પણ સમાવેશ થતો હતો. નામ મુનિ ન્યાયવિજય. ૧૯૬૪ માં કાશી આવીને ચાર વર્ષ સુધી એકાગ્રતાપૂર્વક સંસ્કૃત ભાષા, ન્યાયશાસ્ત્ર અને જૈન શાસ્ત્રનું અધ્યાપન કર્યું. ૨૦-૨૧ વર્ષની ઉછરતી વયે માતા સરસ્વતી એમના ઉપર પૂર્ણ પ્રસન્ન થયાં. તેમણે ન્યાયતીર્થની પરીક્ષા માપી એમના દર્શનિક જ્ઞાનથી માકર્ષાઈ વિદ્વાનોએ એમને ન્યાયવિશારદની પદવી આપી. ન્યાયશાસ્ત્ર, ધર્મશાસ્ત્રો અને બીજી વિદ્યાઓનું એમણે અધ્યથન કર્યું એ તે ખરું, પણ એમની સર્જક તરીકેની પ્રતિભા પ્રકાશી ઉઠી સંસ્કૃત ભાષાના એક કવિ તરીકે, જેવી એમની પ્રકૃતિ મધુર અને હેતાળ એવી જ એમની કવિતા રસઝરતી અને હૃદય સ્પર્શ, વાતવાતમાં એમના મુખમાંથી અને એમની કલમમાંથી વિવિધ છ માં, કવિતાને અમૃતરસ રેલાવા લાગતે, કદાચ એમ જ કહી શકાય કે ગદ્ય સર્જક જે ઝડપથી પિતાનું કૃતિનું સર્જન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy