________________
૧૭
રહે છે. મુનિશ્રી ન્યાયવિજયજીને આત્મા આવો ઉર્ધ્વગામી હતા. અને આ બધું એમને સુલભ બન્યું હતું તે એ કારણે કે એમણે પારગામી વિધતા અને જીવનસ્પશ સાધુતાને (સમ્યગૂ-જ્ઞાન અને ચારિત્રને) પાવી જાણુ હતી; અને એમાંથી પ્રગટ થયેલ જીવન રસાયથી પોતાના ચિત્તને અમૃતમય બનાવી દીધું હતું. ન રાગના ભય, ન ઘડપણને ભય, ન મરણને ભય? જ્યારે જુઓ ત્યારે નિજાનંદમાં મસ્ત ! શરીરની વેદનાની વચ્ચે પણ સ્વસ્થ રહેવાની સિદ્ધિ એમણે મેળવી હતી. અતિ દોહ્યલી મસ્તફકીરીની જાણે એમને બક્ષિસ મળી હતી.
સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી (તે વખતે મુનિરાજ ધર્મવિજયજી) શ્રાવક સંઘના ઉત્કર્ષના હિમાથતી અને સુધારક વિચારસરણીના સમર્થક સાધુ હતા. વળી તેઓ પિતાની દીર્ધદષ્ટિથી એ પણ જોઈ શક્યા હતા કે જેને વિદ્યાના અધ્યયન અને વિકાસ માટે કેવળ સાધુ-સમુદાય ઉપર જ આધાર રાખવો પડે એ બરાબર નથી. અને વિદ્યા વિકાસના આ યુગમાં તે આવી એકાંગી સ્થિતિ ચાલી શકે એમ પણ નથી. તેથી જરૂર પડતાં તરત જ ગમે ત્યાં પહોંચી શકે અને જૈનધર્મ દર્શન-સંસ્કૃતિનું પ્રતિનિધિ કરી શકે એવા જૈન ગૃહસ્થ વિદ્વાને તૈયાર કરવાની એમની ઝંખના હતી. અને એ ઝંખનાને પૂરી કરવાને તેઓ સતત વિચાર અને શકન્ય પ્રયત્ન કરતા હતા.
તેઓ એકવાર માંડલ ગયા હતા. ત્યાં એમને પિતાના મા વિચારને અમલી બનાવવાની અંતઃ પ્રેરણા થઈ; માંડલનું વાતાવરણ પણ કંઈક નવા વિચારને ઝીલી શકે એવું અનુકૂળ લાગ્યું. એમણે આ કાર્યની શુભ શરૂઆત રૂપે માંડલમાં શ્રી યશોવિજય જૈન પાઠશાળાની સ્થાપના કરી, ભાવી પેગથી પ્રેરાઈને નરસિંહ ચાલુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org