________________
ભગવાન તીર્થકરે પ્રવર્તાવેલ “મિત્તિમે સરભૂએસ વેરંમરું ન કેણઈ'ના ધર્મસંદેશને તેઓ પોતાના જીવનમાં તણાવાણાની જેમ વણી લઈને એક રસ બનાવી દીધું હતું. એમને મન ન કઈ પિતાનું હતું; ન કઈ પરાયું. ન કોઈની સાથે રાગ, ન કોઈની સાથે દ્વેષ, પોતાનો વિરોધ કરનારને માટે પણ કોઈ કડવાશની લાગણી ન સેવાઈ જાય એને માટે તેઓ હમેશ જાગ્રત રહેતા.
વિતરાગ માર્ગના તેઓ સાચા યાત્રિક હતા. ગ૭, મત કે ફિરકાના કે ઊંચ-નીચપણના કોઈ ભેદ એમને સ્પર્શી શકતા નહીં. માન માત્રને માટે એમનામાં વાત્સલ્ય ઉભરાતું હતું. અહિંસાની વિશ્વ મૈત્રીની ભાવનાના તેઓ સાયા બાશક અને ઉપાસક હતા. ગુણગ્રાહક અને સત્યચાહક એમની દષ્ટિ હતી. અનેકાન્તવાદની ભાવનાને એમણે જીવનમાં સાકાર કરી હતી. બાળક જેવી સરળતા એમના સમગ્ર વ્યવહારમાં દેખાઈ આવતી. અને શ્રમણ જીવનના સાર રૂપ સમભાવ તો અમના રોમેરોમમાં ધબકતે હતો. શરીરે શાતા હેય કે અશાતા. કોઈ રસ્તુતિ કરે કે નિંદા કરે, કઈ ભક્તિ કરે છે કષ્ટ કાપે, એનાથી કુલાઈ કે વિલાઈ ન જવાય એની તેઓ હંમેશાં ચિંતા રાખતા, અને આ બધાનો અનાદિકાળથી ચાલ્યા આવતા સંસારના પૌદગલિક કે બાહ્ય ભાવે છે, અને આત્મભાવ તે એ બધાથી પર છે. અલિપ્ત છે, સદા સત્-ચિત-આનંદમય છે. એમ સમજીને પિતાના હૃદયમંદિરમાં સમતા–સમભાવના પ્રદીપને સદા પ્રકાશમાન રાખવા પ્રયત્નશીલ રહેતી. કષાયો અને કલેશ ચિત્તને વિક્ષિપ્ત અને મલિન ન કરી જાય અને અંતરના સમભાવમાં જરા પણ ઉણપ ન આવી જાય એજ એમની સાધનાનું ધ્યેય હતું. એ દીય એમણે કેટલું સિદ્ધ કર્યું હતું એની એમનું જીવન અને કવન સાક્ષી પૂરે છે. સમભાવી આત્મા મોક્ષની સમીપ જ હોય છે, અને મુક્તિને આનંદનો કંઈક ને કંઈક આસ્વાદ એને મળતો જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org