________________
૧૪૨
કામ ઉપર જોયું તેમ, આત્મા કર્મ અને પરલેક એ ત્રણ સિદ્ધાને પરસ્પર એવા સખહ છે કે એકને સ્વીકારતાં ત્રણેને ૨વીકાર થઈ જાય છે, અને એકને ન સ્વીકારતાં ત્રણેને અસવીકાર થાય છે. વળી આત્માના સ્વીકારની સાથે મોક્ષને પણ તેમજ ઈશ્વ. રનો પણ સ્વીકાર થઈ જ જાય છે. કેમકે મેક્ષ આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થાનું જ નામ છે, એટલે આત્માના સ્વીકારમાં એને (મોક્ષ) સ્વીકાર આવી જ જાય, અને એ જ પ્રમાણે ઈશ્વરને પણ સ્વીકાર આવી જ જાય છે, કેમકે મેક્ષતાવ એ જ ઈશ્વરતત્વ છે. આમ આ પંચક (પાંચે તો) પરસ્પર કેટલું સબદ્ધ છે એ જોઈ શકાય છે.
આત્મા, કર્મ પરલોકના સિદ્ધાન્તના સ્વીકારથી પરોપકાર ભાવને પુષ્ટ થાય છે અને કર્તવ્યપાલનમાં તત્પરતા ભાવે છે. પરોપકાર કે કર્તવ્યપાલનનાં લૌકિક ફળ પ્રત્યક્ષ છે, છત કદાચ જિંદગીનાં દુઃખેને અન્ન ન આવે તે એથી જન્માક્તરવાદી નિરાશ થતો નથી. આગામી જન્મની શ્રદ્ધા તેને કર્તવ્યમાર્ગ પર સ્થિર રાખે છે. તે દૃઢતાથી સમજે છે કે કર્તવ્યપાલન કદી નિષ્ફળ ન જાય. વર્તમાન જન્મમાં નહિ, તે ભાગામ જન્મમાં તેનાં રૂડાં ફળ મળશે જ. આમ પરલેકના શ્રેષ્ઠ લાભની ભાવનાથી માણસે હકર્મમાં પ્રવૃત્ત રહે છે. તેને મૃત્યુનો ભય પણ નથી રહેતો. કેમકે માત્માને નિત્ય યા અમર સમજનાર માણસ મૃત્યુને દેહપલટા સિવાય બીજું કશું જ સમજ નથી. મૃત્યુને તે એક કેટ ઉતારી બીજે કેટ પહેરવાને માર્ગ કરી આપનાર માને છે અને, સત્કર્મશાલીને માટે તે પ્રગતિમાર્ગનું દ્વાર બને છે એમ તે સમજે છે. આમ, મૃત્યુનો ભય જિતાવાથી અને, જીવનપ્રવાહ જે નિરન્તર અવિચ્છિત્રપણે વહેતો અનન્ત અને સદા સત્ છે તેને કલ્યાણરૂપ બનાવવા પ્રાગ એકમાત્ર ચિત્તશુદ્ધિ અને સકર્મશીલતા પર આધારિત છે એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org