SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ એક સરખું હેવા છ: આ પ્રકારના ભેદ જોવામાં આવે છે તે કર્મના કારણે છે. અને છેવ વિના કર્મ પણ શું? એટલે કર્મની સિવિની સાથે જ આત્માની સિદ્ધિ પણ થઈ જાય છે. કર્મવાદની ઉપયોગિતા એ છે કે એથી માણસ કર્મશીલ બની ઉન્નતિના પથ પર ગતિમાન થઈ શકે છે, અને દુષ્કૃત્યને હાનિકારક તેમ જ દુઃખકારક સમજી તેને ત્યાગી સત્કર્મો કરવા પ્રેરાય છે, સત્કર્મશીલ બને છે અને એ રીતે પિતાના જીવનને કલ્યાણવિહારી બનાવી શકે છે; અને માન-અપમાન અથવા સુખદુઃખને પોતાના કર્મથી પ્રસૂતિ સમજી તે વખતે માસ સમત્વ રાખવા જેટલું સમર્થ થઈ શકે છે. આમ કર્મવાદ સમત્વની સાધનામાં ઉપયોગી થઈ કયાસાધનાના પથ પર ચડવામાં સહાવરૂપ થઈ શકે છે. હું”થી સંવેવ જે તત્વ છે તે આત્મા છે. આ આત્મપ્રતીતિ પ્રાણીમાત્રમાં પ્રવર્તે છે. માત્મવાદના સુન્દર સંસ્કારથી જે “હું” અર્થાત જેવો મારો આત્મા તે બધાય પ્રાણુઓને એવું ભાન જાગે છે. આ પ્રકારની ભાવના જાગરણથી નાના-મોટા, શત્રુ-મિત્ર, સબળ-નિર્બળ, સુખી-દુઃખી, હીન-ઉન્નત બધાય પ્રાણીઓ સાથે આત્મકશ્વનું સુન્દર સંવેદન અનુભવાય છે. શાક્યની આ બનુભૂતિ ખરેખર કયાણમય અનુભૂતિ છે. એના બળે વ્યક્તિગત કલ્યાણ સાથે સમગ્ર સમાજ, સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ સાથે આત્મીથતાને પવિત્ર ભાવ વિસ્તરે છે. આ પવિત્ર ભાવ જે માનનાં હમાં પ્રસરે તે સમાજનું ઊવીભવન કેવું ભવ્ય બને ! એ કે સુખી અને આનન્દી (Happy as well as blessed) થાય! મનુષ્યલોકનું આવું ઉચતમ સંસ્કરણ થાય તો એની આગળ, કહેવાતું સ્વર્ગ તે વામણું જ લાગે, અને મનુષ્યભૂમિ મેક્ષભૂમિ બની જાય ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy