________________
૧૪૦
નિર્દોષ માનીએ તે આ પ્રાપહારક પ્રહારને ભેગ એને શું કામ થવું પડે ?
આ બધી વિચિત્રતા નિરાધાર તો કેમ હોઈ શકે? એની પાછળ પાઈ નિયામક તવ તે અવશ્ય હોવું જોઈએ એ સમજી શકાય તેવી વાત છે. એ તત્વ છે જન્માન્તરમાં જીવે અધેિલાં કર્મોને એની સાથે વળગાડ. એટલે જ તો ગર્ભાવસ્થામાં જીવને કષ્ટ સહવું પડે છે. ગર્ભાવસ્થામાં તે એણે એ ગર્ભાવસ્થાનું કષ્ટ ભોગવવાનું કંઈ કર્મ બાંધ્યું નથી. પછી એને એ કષ્ટ કેમ ભોગવવું પડે? પરંતુ જે નિમાંથી એ ગર્ભમાં આવ્યો તે નિમાં તે જન્મમાં એણે બધેિલા કર્મના સંગને લીધે એને ગર્ભાવસ્થામાં આવવું પડયું અને એ અવસ્થાનું કષ્ટ સહવું પડયું. ગામ વર્તમાન જન્મથી અગાઉનો જન્મ અને તે જન્મમાં બાંધેલ કર્મનું બળ એ બને એકી સાથે જ સાબિત થાય છે; અને સાથે જ એમને બાધારભૂત આત્મા પણ સિદ્ધ થાય છે
કર્મની બાબતમાં, શ્રી દેવેન્દ્રસુરિત પ્રથમ કર્મગ્રન્થની સ્વપજ્ઞ ટીકામાં ઉદૂધૃત क्ष्माभूदरङ्ककयोर्मनीषिजडयोः सदरूपनीरूपयोः श्रीमदुर्गतयोबलाबलवतो रोगरोगार्तयोः । सौभाग्यासुभगत्वसंगमजुषोस्तुल्येऽपि मृत्वेऽन्तरं यत् तत् कर्मनिबन्धनं तदपि नो जीवं विना युक्तिमत् ।।
આ શ્લોક કહે છે કે –
રાજા અને રંક, બુદ્ધિશાળી અને મુખે, ખૂબસૂરત અને બદસૂરત, ધની અને નિર્ધન, બળવાન અને નિર્બળ, તંદુરસ્ત અને રોગી, તથા સૌભાગ્યવાન અને શૌર્ભાગ્યવાન આ બધામાં મનુષત્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org