________________
૧૬
આવા સરળ અને નિરભિમાની પણ હેઈ શકે છે એ જોઈને ખૂબ જ આશ્ચર્ય પામ્યા હતા.
– હિરાભાઈ એમ. શાહ, અમદાવાદ.
વિદ્વાનો માટે એ યાત્રાનું ધામ હતા. ગ્રામજનતા માટે સતત વહેતી જ્ઞાનગંગા હતા અને વિદ્યાથીઓના અભ્યાસમાં એમને મદદ કરનાર શિક્ષાગુરુ પણ હતા. ખરેખર માંડલવાસીઓ માટે એ એક ધર્મ છત્ર હતા. જેમણે મડિલમાં પાછલા વર્ષોમાં સ્થિરવાસ કરી મલિની જનતાને અમીરસના પાન કરાવ્યાં હતાં.
–“પ્રબુદ્ધજીવન
ખરું જોતાં આપણે નજર સામેથી એક મહાતેજ અસ્ત પામી ગયું. જીવનની જે સુઘડતા એમનામાં હતી તે અપૂર્વ જ હતી. છેલી જીંદગી તે તેમની આત્માભિમુખ જ બની ગઈ હતી.
–(આગમપ્રભાકર) મુનિ પુણ્યવિજયજી
स्वर्गीय मुनिश्री मेरे परम स्नेही थे और मेरे विचारोंके समर्थक थे इसलिये उनके वियोग के समाचार से मुझे बड़ा દુગા હૈ
- स्वामी सत्यभक्त
પૂ. મુનિશ્રી માંડલની મહામૂલી મૂડી સમા હતા. એમણે સિંચેલ પ્રેરણા અને પ્રોત્સાહનને પ્રદીપ આજે પણ અમારા હૃદયમાં ઝળહળી રહ્યો છે.
–ડો, ભાઈલાલ બાવીસી પાલીતાણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org