SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ વિના ભેંકાર બનવા લાગ્યું હતું. પણ જે આ દુનિયામાં આવે છે એ એક દિવસ બીજાઓને રડાવતા ચાલ્યા જ જાય છે. એ અક્ષર નિયમને તાબે થઈ અમે જાતે જ એમને પાલખીમાં બેસાડ્યા અને પછી અગ્નિસંસ્કાર માટે માંડલ મહાજનની પાંજરાપોળના પ્રાંગણું તરફ પાલખીનું પ્રયાણ શરૂ કર્યું, ઉપાશ્રયથી પાંજરાપોળ સુધીના માર્ગો પર બંને બાજુ એમના અંતિમ દર્શન માટે લેકેની ઠા જામી હતી. જય જય નંદા–જય જય ભદ્દાના અવાજ સાથે પાલખીનું પ્રયાણ આગળ વધતું હતું ને હજારોની આંખો ભીની બનવા સાથે સહુના દિલ પર ન ભૂલાય એવી વિરહ વેદનાની ઊંડી છાપ પડશે જ તી હતી અને યુવાનો એમની અંતિમ વિદાયની સ્મૃતિને હૈયામાં ભરી લેવા એ સ્મશાન કૂચના ફોટાઓ ખેંચે જતા હતા. લગભગ અઢી વાગે પાલખી નિયત સ્થળે ખાવી પહેચી હતી, પણ જેમની સમયસર આવી પહોંચવાની આશા રાખી હતી એમાંથી હજ ભાઈ આવી પહોંચ્યું હતું. બીજી બાજુ ત્રણ વાગે અગ્નિસંસ્કાર આપવાનો સમય નિયત થયેલ હતો. જેથી એમને અગ્નિસંસ્કાર આપવા માટે ઘી બોલવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યાં જ સહુના આશ્ચર્ય વચ્ચે રાધનપુરથી એક પછી એક મેટરો ભાવી પહેચી અને મહારાજ ના પરમ ભક્ત અને ચાહક થી ભેગીભાઈ ચુનીલાલ તથા અન્ય ભાઈઓ સમયસર ભાવી પહેચ્યા. બીજી બાજુ અગ્નિસંરકાર શરૂ થવાના ટાણે જ શ્રી વેરા સેવંતીલાલ ભોગીલાલ બાળકની જેમ દેડતા આવી પહોંચ્યા અને શબ ફરતા ખડકેલા એકાદ બે લાકડા દૂર કરી મહારાજશ્રીનું અંતિમ દર્શન કરી રડી પડયા. શ્રી લીલચંદભાઈ મણિલાલ પાંચ મિનિટ મેડા પડયા જેથી એમને મુનિશ્રીના શબને વીંટળાઈ વળેલી અગ્નિશિખાને જ પ્રણામ કરી સંતોષ માનવો પડયો હશે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy