________________
૧૧૮
જોતજોતામાં એમનો દેહ ભસ્મ રાશિ બની ગયે. રહી માત્ર એમના જીવનની સુવાસ અને રહ્યું એમને મુખેથી થતા ધર્મવિણનું માત્ર ગૂજન. જેમના ખોળે માથું મૂકી ૧૫–૧૫ વર્ષ સુધી એમના મુખેથી વહેતા ધર્મામૃતનું પાન કર્યું હતું, એમના ખડખડાટ હાસ્યથી હૈયાને પુલકિત બનાવ્યું હતું અને જેમની સેવા-ભક્તિથી જીવનને ધન્ય માન્યું હતું એ પુરુષનું દર્શન હવે ફરી કદી મા જન્મમાં નહીં જ થાય એવા વિચારથી દિલ વિષાદગ્રસ્ત બનતું હતું પણ જે આવે છે એ વહેલા મોડા ગયા વિના રહેતા જ નથી એ એમને બોધ હૈયામાં ગ્રહણ કરી દિલ આશ્વાસન લેતું હતું અને એવું આશ્વાસન લીધા વિના બીજો ઉપાય પણ નહતો.
મુનિધી ગયા છે, પણ આપણા માટે જે પ્રેરણાની સુવાસ મૂકતા ગયા છે, એ પ્રેરણાનું પાન કરી એમની આ પહેલી સંવત્સરીના શુભદિને આપણે જીવનનું ઉત્થાન કરીએ એ જ હવે એમને સમજવાનું ફળ છે એથી એમની ભૌતિક પૂજા નહીં પણ એમની ગુણપૂજા એ જ માપણા માટે એક માત્ર ધમ બની રહે છે.
મહારાજશ્રીની જીવન ઘટનાઓ
સંવત ૧૯૪૬
, ૧૯૬૦
૧૯૬૨
માંડલમાં જન્મ યવિજયજી જૈન પાઠશાળામાં પ્રવેશ ગૃહત્યાગ, માતા પિતાનું મૃત્યુ અને થયેલું સગપણું તેડી નાખ્યું કલકત્તામાં દીક્ષા પાવાપુરીમાં વડીદીક્ષા
, ૧૯૬૩ , ૧૯૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org