________________
૧૦૭.
વિચાર કરીને, બાલદીક્ષા હરગીઝ હરગીઝ ન આપવી જોઈએ. આજે તે બાલદીક્ષાને બદલે માપણા સાધુ-મહાત્મા એ હિંસકોને દીક્ષા આપવી જોઈએ. માંસભક્ષીઓને ફલાહાર અને શાકાહારની દીક્ષા આપવી જોઈએ.
દુરાચારીઓને સદાચાર, જૈનેતરને જનધર્મની અને માજના જમાનામાં કેટલાય કુટુંબમાં જવાનો અવળે માર્ગે ચડીને ઈરાન હેટમાં જતાં શીખ્યા છે તે અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ. માત્ર ઉપાશ્રયની ચાર દિવામાં શ્રદ્ધાળુ ભાઈ–બહેનને ઉપદેશાત્મક વ્યાખ્યાને કાપીને સંતેષ માનવો ન જોઈએ જૈનશાસનને સુષનાદ ઘરઘરમાં જૈનધર્મના અજવાળા પાથરવાનો છે. જેમાં જૈનધર્મની જ્યોત ઝળકી રહી છે. શયનસેવાને એ મહાન માર્ગ છે. વિચાર તે કરો. નવનવા મંદિર, ઉપધાને અને શાંતિસ્નાત્ર બાદિથી ભલે ધર્મ-પ્રભાવના થતી હોય, પણ જેનસમાજને મધ્યમવર્ગ “હેસાઈ રહ્યો છે, તેને રોજી રોટી આપીને, ધર્મના માર્ગે વાળવાને પ્રયત્ન થાય તે જૈન સમાજ શક્તિશાળી બને.
આપણા સાધુ-સાધ્વીઓએ તો પંજાબ, બંગાળ, ઉત્તરહિન્દુસ્તાન, મદ્રાસ આદિના પ્રદેશોમાં જઈને અહિંસા ધર્મને પ્રચાર કરવો જોઈએ. ત્યાંના વિદ્વાનોના માથા ધુણાવવા જોઈએ. ત્યની જનતા પર, તમારું ચારિત્રને રસ રેડો. એ રીતે જૈનેતર જગતમાં જેન ભાવનાનું ઉલ્લોતન કરે આર્યસમાજીઓ અને ખ્રિસ્તીઓ ખાજે કેટલું જબરજસ્ત કામ કરી રહ્યા છે. માત્ર ગુજરાતની ભૂમિનો એક છેડીને ગામેગામ, શહેરેશહેર, જનધર્મની જ્યોત જગાવો, તે જૈનશાસનને જયજયકાર થઈ રહે. |
*
*
--
=
=
=
=
*
***
*
-બાપ ને
"
- -
-
-
-
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org