________________
૧૫
દીનાકંદનમ' જેનો અનુવાદ અંગ્રેજીમાં મા ડાહ્યાભાઈ મગનલાલ પરીખે કર્યો હતો તે બને આજે હયાત છે. શ્રી મણીભાઈ હરિભક્તિ પણ છે. સ્વ. શ્રી નાગકુમાર મકાતી, ઝવેરી કુટુંબના ઉમાભાઈ, શી રાજાબાબુ તથા શ્રી ઉત્તમચંદ નગીનચંદ ઝવેરી, કોઠારી દ્વારકાદાસ જમનાદાસ, એરીયન્ટસ ઈન્સ્ટીટયુટના વડા ડે. બિનયતષ ભટ્ટાચાર્ય કે જેમણે પૂજ્યશીની “વિરવિતિ'ના પૂર્વાર્ધના અંગ્રેજી અનુવાદ કર્યો હતો તે તેમજ અમેરિકન વિદુષી છે. જોન્સન પણ વારંવાર તેઓએ અનુવાદ કરેલ
‘ત્રિષષ્ટીશલાકા” કે જેને ગાયકવાડ એરીયન્ટલ ઈન્સ્ટીટયુટ લગભગ ૮ ભાગોમાં પ્રકાશિત કરેલ છે. તેઓ પૂજ્યશ્રી પાસે શાસ્ત્રીય ખુલાસા મેળવવા આવતા અને તેઓ માંડલ પણ ગયેલા. શ્રી જમનાદાસ કાલીદાસ ઝવેરી, સ્વ. ચંદુલાલ કેશવલાલ સરેયા, સ્વ, જીવણલાલ કિશોરભાઈ વગેરે પૂજ્યશ્રીને ભક્તમંડળમાં હતા અને પૂજયશ્રી બધાને પિતાના જ્ઞાનવારિનું સિંચન કરી પ્રેરણાના પિયુષ પાતા હતા.
આજે પણ વડોદરાના બાબલવૃહ પૂજ્યશ્રીની વિદ્વત્તા, રાષ્ટ્રપ્રેમ અને કાન્તિકારી વિચારોને યાદ કરે છે. એ મધુર મધુર સ્મરણે ભૂલ્યા ભૂલાતા નથી.
હાંકિત હંસરાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org