________________
૨૩
સ્ટેશને મળ્યા. મને થયું કે ઈ મહેમાનને લેવા આવ્યા હશે. પણ ખરેખર તે માંડલથી . ન્યાયવિજયજી મહારાજે એમને મને મળવા માટે તથા વિરમગામથી મડિલ આવવાને કાર્યક્રમ નકકી કરવા મોકલ્યા હતા. મહારાજશ્રીનું નિમંત્રણ મેં સાભાર સ્વીકાર્યું અને મને લેવા આવેલા વિરમગામ કોલેજના તે વખતના પ્રિન્સિપાલ ડે. શિવલાલ જેસલપુરાને તે માટેનો કાર્યક્રમ નક્કી કરવા સૂચવ્યું. થોડા કલાક પછી વિરમગામથી ઝિંઝુવાડા જતાં અમે માંડલ મહારાજશ્રીના દર્શનાર્થે રાઝાયા અને ઝિંઝુવાડાથી વિરમગામ પાછા વળતાં માંડલમાં જ જમવાનું રાખ્યું. એ બન્ને વખતે એમની સાથે પૂર્વવત ભાવાન્વિત જ્ઞાનગોષ્ઠી થઈ અને નવા રચાતાં તેમના કેટલાક સંસ્કૃત કાવ્યો વાંચ્યાં પણ કેને ખબર કે અમારી આ મુલાકાત છેટલી જ હશે !
૫. ન્યાયવિજયજી મહારાજ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ' ઉત્તમ કવિ, ગુજરાતીના વિશિષ્ટ લેખ, અંગ્રેજીના સારા જાણકાર અને પ્રભાવશાળી વકતા હતા. સંસ્કૃત-પ્રાકૃત પદ્યમાં રચાયેલી ભક્તિ | અને મધ્યાત્મ રસની એમની અનેક કૃતિઓ પ્રગટ થઈ છે. (એમના નિર્વાણના થોડા સમય પહેલાં જ પ્રગટ થયેલી કાવ્યરચના “ચાપ માતા એ મારા બાળકેમાં પણ એક વિશિષ્ટ આકર્ષણ જમાવ્યું હતું, કેમકે મારા બે નાનાં બાળકોનું નામ કલ્યાણ અને ભારતી છે! આ નામસામ્ય નિમિત્તે બાળકેને ભક્તિ અધ્યાત્મથી પૂર્ણ આ કાવ્યનું ભાષાન્તર પણ વાંચવાનું મળ્યું એ લાભ મોટો હતો. મહારાજશ્રીને પણ આ વાત મેં વિનોદમાં લખી હતી !) હેમચંદ્રાચાર્ય જે સભા, પાટણ, તરફથી પ્રગટ થયેલા જૈન દર્શન' વિશેના તેમના ગુજરાતી પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ છે. “જૈનદર્શન અને પરિચય આપતું આવું સરળ અને લોકભોગ્ય પુસ્તક બીજું મારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org