SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ન્યાયવિજયજી મહારાજે પોતાના જીવનના ઉતરાધના ધણુ વર્ષે પાટણમાં ગાળ્યાં હતાં. ઘણુંખરું મહાલક્ષ્મી માતાના પાડાના ઉપાશ્રયમાં તેમને નિવાસ રહે. પાટણ મારું વતન હાઈ વાર વાર ત્યાં જવાનું થતું અને વેકેશનમાં તે કેટલીકવાર મહિને, દઢમહિને પણ ત્યાં રોકાતે. એ દિવસોમાં એમને અનેકવાર મળવાનું થતું. જ્યારે જાવ ત્યારે સત્સંગ અને જ્ઞાનગોષ્ઠી ઉપરાંત એમની નવી રચનાઓનું પ્રકાશન પહેલાંનું વાચન થતું. પ્રકીર્ણ વાત ચાલે તે પણ એના કેનમાં તે કંઈક વિદ્યાવિચાર જ રહેતો. તેઓ દરરોજ સાંજે ફરવા જતા. એ વખતે અનેક યુવાનો એમની સાથે હેય. હું પણ એમાં ઘણીવાર જેડાતો મા કામો-લેખો, પુરત વિગેરેનું ગુણદર્શન કરતાં તેઓ કદી થાકતા નહિ, એની અહીં ધિ કરતાં કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. એ ગદર્શનથી મને ખરેખર પ્રેરણું મળતી. મારા વિદ્યાગુરુ આગમ પ્રભાકર સદ્દગત પૂણ્યવિજયજી મહારાજની જ્ઞાનસાધનાના તેઓ પરમ પ્રશંસક હતા, પુણ્યવિજયજીના અભિવાદન નિમિત્તે પ્રગટ થયેલા “જ્ઞાનાંજલિ' ગ્રંથના પ્રારંભમાં છપાયેલું તેઓશ્રીનું પુણ્ય-પ્રશસ્તિનું સંસ્કૃત કાવ્ય આ વાતની સાક્ષી પૂરે છે. ન્યાયવિજયજી મહારાજનું વતન માંડલ હતું. જીવનના છેલલાં વર્ષો માંડલના સંઘની વિનંતિથી તેમણે મડિલમાં ગાળ્યાં હતાં. સને ૧૯૬૩ માં વિરમગામથી રાધનપુર જતાં તેમના દર્શન માટે હું માંડલ રોકાયા હતા અને તે વખતે એમના પ્રમોદધીના મનમાં ભીંજાય હતે. ૧૯૬૬માં વિરમગામ કોલેજના વાર્ષિકોત્સવના અતિથિવિશેષ તરીકે મારે વિરમગામ જવાનું નક્કી થયું હતું. માર્ચ માસની એક સવારે સૌરાષ્ટ્ર મેલમાં વિરમગામ ઉતર્યો ત્યારે પાટણના મારા પૂર્વ પરિચિત શ્રી નાનકચંદ મેતચંદ શાહ વિરમગામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy