________________
કર
Thank you again and please give my greetings to all my new friends in Mandal
Sincerely HELEN M. JOHNSON
*
.
સંમરણે
t
koncom renerererererereroe
ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય સદ્ગત ૫ મુનિશ્રી ન્યાયવિજયજીને સને ૧૯૩૨ કે ૩૩ માં પાટણમાં રાજકાવાડાના ઉપાશ્રયમાં હું પહેલીવાર મળે તે એવું સ્મરણ છે એમને વિશે વાંચ્યું હતું, સાંભળ્યું હતું, એમની વકતૃત્વ શક્તિ પંકાતિ જાણે હતી, એમના પુસ્તકે જોયા હતા પણ પ્રથમ દર્શન તે સમયે જ થયું. કોઈ મિત્ર મને એમની પાસે લઈ ગયા હતા. તે જ દિવસે ૫થવા તેના બીજા દિવસે પૂ. આત્મારામજી મહારાજની જયંતીની સભા હતી તેમાં તેઓજીની સૂચનાથી બે શબ્દ હું બેલ્યો હતો. એ સમયથી જ એમના વ્યક્તિત્વની ઊંડી છાપ મારા ઉપર પડી હતી. તેઓ ન્યાયાચાર્ય હતા પણ ઘણા નવાધિ વિશે બને છે તેમ તર્ક કર્કશ નહેતા. ભાવાવેશ, નિખાલસતા. સરળતા અને ઊડી ગુરુભક્તિ એ એમના વ્યક્તિત્વના પ્રધાન લક્ષણે હતા મને કોઈ પણ બાગંતુક ઉપર એની અસર થતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org