________________
પત્ર લખી દીધું કે કુટુંબની જવાબદારીને લીધે આપના શિષ્ય થવાનું મારું સદ્ભાગ્ય નહિ હોય પણ હું મારું જીવન સમાજસેવામાં ગાળીશ. આજે એ પુરાશિ મુનિ પુંગવની જીવનગાથા આલેખવા મને તક મળી. તેને હું મારું અહોભાગ્ય માનું છું. ચરિત્ર તૈયાર કરવા મારા પરમ સ્નેહી એવા પ્રિયમી ભોગીલાલ ચુનિલાલ કાપડી મા (મંત્રી શ્રી હેમચંદ્રાચાર્ય સભા પાટણ)એ મને પ્રેરણા કરી. મારા વિદ્વાન મિત્ર અને વિચારક ભાઈશ્રી રતિલાલ મફાભાઈએ લખેલ પૂજયશ્રીની જીવન ઝરમર હું મનનપૂર્વક જોઈ ગયે. તેમણે મુનિશ્રીના જીવન સંસ્મરણોની સારી એવી નોંધ લીધી છે. એ જીવન ઝરમર સુવાચ્ય છે અને મુનિશીના જીવનના અનેક પાસાઓને આવરી લેતી સુંદર છે. મેં પણ તેમની ઘણુ વિગત મા પુસ્તકમાં લીધી છે.
મેં મુનિશ્રીના જીવન પ્રસંગોને ઉપસાવી જીવન મા આલેખવાને નમ્ર પ્રયાસ કર્યો છે, તેમાં દેશવિદેશના વિદ્વાનોના પત્ર, પૂ.શ્રી વિશ્વપ્રેમી મુનિથી સંતબાલજી, શ્રીયુત ડો. ભોગીલાલ સાંડેસરા
M. A. P. H.D. તથા સેવાપ્રિય સાધ્વી શ્રી સણાથીના સંસ્મરણે મૂક્યા છે. બન્નદ વિદ્યાપીઠ જામનગરના મહંત શ્રી શાંનિપસાદજીની જન્મભૂમિ માંડલ હાઈને તેમણે પ્રસ્તાવનામાં મુનિશ્રીને સુંદર શ્રદ્ધાંજલિ આપી છે. ભાવનગર યશોવિજયજી ગ્રંથમાળાના મેનેજર સેવામૂર્તિ સ્વ.શ્રી અભયચંદભાઈ તથા પીડિત રત્ન સ્વ. શ્રી લાલચંદભાઈ તરફથી ઘણું ઉપયોગી માહીતી તથા જયશ્રીના અપ્રાપ્ય પુસ્તકો મળ્યા છે. તે માટે હું તેમને આભારી છું.
વડોદરા નિવાસી ભાઈશ્રી હંસરાજભાઈ સૌભાગ્યચંદ કોઠારીએ પોતે સંભાળી રાખેલા પત્રો અને ઉધને આપીને પુસ્તકને સુંદર બનાવવા મને તક આપી છે. મારા વિદ્વાન મિત્ર ભાઈબી ફત્તેહચંદ બેલાણીએ પૂજ્યશ્રીના જીવન વિષે મનનીય વિચાર આપવા સાથે સમાજની વણસતી જતી પરિસ્થિતિ પર પિતાના વિચારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org