________________
બે બોલ
પાંસઠ વર્ષ પહેલાની વાત છે. આથા પ્રવર શ્રીમદ્દ વિજયધર્મસૂરીશ્વરજી તેમના વિદ્વાન મુનિમંડળ સાથે જન્મભૂમિ મહુવામાં પધાર્યા હતા. આ ધર્મરન આચાર્યશ્રીના સુધાભર્યા પ્રવચનો સાંભળવા જે-જેનેતરે ઉમટી આવતા હતા. જાહેર વ્યાખ્યાનમાં આચાર્યશ્રીના નવ નવા વિચાર અને જનધર્મની વિશિષ્ટતાની વાતો સાંભળી સભાજને મંત્ર મુગ્ધ થઈ જતા, બા સેવક તે વખતે વિદ્યાર્થી હતા. ભાવનગર જૈન બોડિયમથી રજામાં મહુવા આવેલ, એક જાહેર વ્યાખ્યાનમાં સેવકને બોલવાની તક મળી, પૂ. આચાથઈ એ પ્રેરણા આપી. પછી તે વ્યાખ્યાને સાંભળવાને રંગ લાગે. યુવાન વિદ્વાન મુનિશ્રી ન્યાયવિજયજીને પરિચય થશે. તેમના અધ્યાત્મ તત્વાકના ગુજરાતીનું અંગ્રેજી કરવા તક મળી, પરિચય વધતે ગયે. આચાર્યશ્રીએ વિહાર કર્યો. મહુવાએ ભવ્ય વિદાય આપી. સેવક વિહારમાં ચાલ્યો અને સુનિશ્રીની મધુરી વાણીમાં આકર્ષાયે. તેમના શિષ્ય થવાના ભાવ જાગ્યા. પણ વિહારમાંથી ઘેર આવીને ખૂબ ખૂબ વિચાર આવ્યા. માતાપિતા સામાન્ય સ્થિતિ, હું સૌથી મોટો પુત્ર. ચાર ભાઈઓ અને ચાર બહેનો, હું જાઉં તે કુટુંબ રઝળી પડે. મારા એક ઉપર ઘરનો આધાર હતો, મને ભાવનગર અભ્યાસ માટે મોકલ્યો હતો. આજ નહિ તે કાલે હું કમાતે થઈશ તો આખા કુટુંબનું પોષણ થશે. પછી તે સમાજસેવાના ભાવ જાગ્યા અને મુનિશ્રીને વિનમ્રભાવે અને ભારે હથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org