SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ એટલે સંવત્સરીને દિવસ. આની અગાઉના સાત દિવસો આજના સંવત્સરીરૂપ પર્યુષણપર્વના સ્વાગતના દિવસે છે. સંવત્સરીની આરાધના માટેની પૂર્વ તૈયારીના દિવસે છે. માજના મહાદિવસે આપણે મન, વચન, કાયાની શુદ્ધિ જાળવવાની છે. મન, વચન, કાયાથી કંઈ પણ દોષાચરણ ન થવા પામે તેને ખ્યાલ રાખવાને છે. વિષય-કષાયોથી મુક્ત બનીને આજે આપણે પ્રભુભક્તિ અને ધાર્મિક ક્રિયાકાંડમાં રત બનીને આ મહાપર્વને આધ્યાત્મિકરૂપે ઉજવવાનું છે. પર્યુષણ એ શાંતિનું પર્વ છે. એ અશાંતિનું ન થાય તે આપણે ચતુર્વિધ સંઘે જોવાનું છે. પર્યુષણ જેવા મહાપર્વને અંગે આપણે જે વિતંડાવાદ, મતભેદ અને કલેશ, કંકાસ વગેરે ઊભા કરીએ તો એ મહાપર્વનું અપમાન છે અને પાપના ભાગીદાર આપણે બધા બનીએ છીએ. આજના મહાપર્વનું મુખ્ય કાર્ય વેર, વિરાધની વાવણુઓને મનમાંથી કાઢી નાખી મનને શુદ્ધ કરવાનું છે. તેમ જ જેની જેની સાથે ક્રોધ, કલેશ, કપાસ, મનદુઃખ થયા હોય તેમને શુદ્ધભાવથી ખમાવીએ. આપણે પોતે ક્ષમા ધારણ કરીએ, સામાની ક્ષમા માંગીએ, એટલું જ નહિ પણ ફરીને કદી વર, વિરોધ ન કરવાને સંલ્પ કરીએ.. ખમવું બને ખમાવવું એ આજના દિવસની મુખ્ય વિધિ છે. ભગવાન કહી ગયા છે કે જે ખમે છે અને ખમાવે છે તે મારા ધક છે અને જે તેમ નથી કરતે તે વિરાધક છે. માટે આજે માપણે નમ્ર બનીને ખમી- ખમાવીને પોતાના આત્માને શુદ્ધ કરવાને છે. આજની ક્ષમાપનાની વિશિષ્ટ કિયા પ્રાણીમાત્રની સાથે મિત્રીભાવના કેળવવા માટે જ છે, એ ભૂલાય નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy