________________
૭૩
અને પિતાના શરીથી, જાતમહેનતથી બીજાના હિતસાધનમાં ઉપયોગી થવું એ પણ દાન છે. વાણીથી બીજાને આશ્વાસન આપવું, સાચી સલાહ આપવી કે શિખામણ આપવી, મિષ્ટ વાણીથી સામાને સંતેષ પહોંચાડે એ પણ દાન છે. એટલું જ નહિ મનમાં કોઈને માટે બૂરો વિચાર ન કરતાં પરોપકારની શુભ ભાવના રાખવી, બીજાનું શુભ ચિંતવવું એ પણ દાન છે. આમ મનસા, વસા, કર્મણ નિધન ગરીબ માણસ પણ દાન કરી શકે છે. દાનધર્મને હાવો લઈ શકે છે.
ધનની સગવડવાળાઓ ઉદારતા જગાવી જનહિતના કાર્યોમાં પિતાના ધનને વ્યય કરી શકે છે. એ વ્યય નથી પણ બહુ મોટી વાવણી છે. એને હું તો મેતીની વાવણું કહું અને એ મેતીની ખેતીમાંથી અનેકગણુ મિષ્ટ ફળનો પાક ઉતરે છે. કંઈ જ સાથે આવવાનું નથી એ બધા સારી પેઠે સમજે છે, એમ છતાં જે અહીં છે તેના કરતાં અનેકગણું વધારે માણસ પોતાની સાથે ત્યાં લઈ જઈ શકે છે. જે તે અહીં છે તેને ઉત્સાહથી સદ્વ્યય કરતો રહે છે.
કયું દાન મોટું? એને જવાબ એક જ. જે વખતે જેની જરૂર તેનું તે દાન મોટું. ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ, નવબ્રાને વસ્ત્ર, રાગીને ઔષધ, નિરક્ષરોને અક્ષરધાન, અશિક્ષિતોને શિક્ષાદાન, ભયગ્રસ્તને અભયદાન, નિરાધારોને આધારદાન-આમ જે વખતે જેની જરૂર તે વખતે તેનું દાન એ જ દાન મોટું
અઢાર પુરાણેનો સાર બે શબ્દોમાં છે. પરોપકાર એ પુણ્ય છે અને પરપીડન એ પાપ છે. આ સર્વસંમત સનાતન સિદ્ધાંત આપણે સમજીએ અને પરોપકારને પિતાનો ઉપકાર સમજી તેમાં રત બનીએ. ક્ષમાપના, મૈત્રીભાવના વિષે આપણું ચરિત્રનાયકના વિચારે જાણવા જેવા છે.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org