________________
૭૧
જ્યારે મુંબઈમાં તેઓશ્રીનું ચાતુર્માસ હતું ત્યારે કેટલાક વિદ્યાથીએ તેમની પાસે સંસ્કૃત વાચન માટે આવતા. તેઓને ઉદ્દેશીને મુનિશ્રીએ સંસ્કૃતમાં એક પુસ્તિકા તૈયાર કરી હતી. તેમાં વિદ્યાર્થીઓ અને યુવાન પેઢી માટે જે ઈદેશ આપ્યો હતો તેમાં પ્રોત્સાહન, વિરક્તશાન્તિ, આશ્વાસનમ, આત્મપ્રબંધ, કાત્રિશિકામુદ્રાલેખ, પ્રબોધનમ, પ્રેરણા, દીનાક્રન્દનમ, અનેકાન્ત-વિભૂતિઃ, વિરવિભૂતિઃ વગેરે વિષયે સુંદર બનાવવાહી ભાષામાં આપ્યા છે અને તે પણ લગભગ ૮૦૦૦ શ્લેમાં ગુજરાતી અનુવાદ સાથે રસપ્રદ થઈ પડયા હતા.
સં. ૨૦૧૦ માં આજથી ૧૮ વર્ષ પહેલાં તેઓશ્રીએ આત્મતવ પ્રકાશની પુસ્તિકા આપી છે તેમાં જીવ, જવના ભેદ, મેક્ષ, માનવજીવન મહિમા, જ્ઞાનભક્તિ, સમ્યગદર્શન, જ્ઞાનચારિત્રાણિ ઉપર સંસ્કૃત ભાષામાં જે પુસ્તિકા આપી છે તે તેમની સંસ્કૃત ભાષા પરની કેવી નિપુણતા! કેવી અજબ બુદ્ધિપ્રભા !
ઉત્તરાવસ્થામાં શરીર બીમારીથી ઘેરાયેલું હોવા છતાં જ્ઞાનની એવી તે મસ્તી હતી કે તેઓશ્રીએ “કલ્યાણુભારતી'અનુપમ ગ્રંથ આપ્યો છે.
પ૬૦ પૃષ્ઠોના આ ગ્રંથમણિમાં માપણા વિદ્વાન ચરિત્રનાયકે પચીસ પ્રકાશમાં ૫૦૦ જેટલા કેમાં જૈનધર્મનું હાર્દ, સિદ્ધાંત એવી સરળ ભાષામાં આપ્યા છે કે સામાન્ય માણસ પણ સમજી શકે. આ ગ્રંથ તેમની વિદ્વત્તાને અભૂત ગ્રંથમણિ છે.
અનેક જન-જૈનેતર પંડિત, વિદ્વાનો, સન્યાસી, મહાત્માઓ અને ભક્તો એમના આ એક જ ગ્રંથથી એટલા આકૃષ્ટ બની ગયા કે એ પુસ્તકની વધતી જતી માંગને પહોંચી શકાયું નથી. તેની નવી આવૃત્તિ માટે વિચારણા ચાલે છે અને થોડા સમયમાં તે પ્રકાશિત થવાની શક્યતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org