________________
99
છે. ૨૬
સાહિત્ય સ્વામી
આપણા ચરિત્રનાયક જયારે પહેલી પચીશીમાં હતા, યુવાન હતા, બુદ્ધિપ્રભા તેજસ્વી હતી. સંસ્કૃત ભાષા પર ભારે પ્રભુત્વ હતું અને આજથી ૬૦ વર્ષ પહેલાં તેમણે અધ્યાત્મ તત્ત્વાલક ગ્રંથની સંસ્કૃતમાં રચના કરી અને જૈન ધર્મના સિદ્ધ તોને આવરી લેતા ઘણું ઘણું પ્રકરણ લખ્યા, તે શ્લેકબદ્ધ ગ્રંથની આવૃત્તિ પણ થઈ. તેમાં અંગ્રેજી તથા ગુજરાતી અનુવાદ મૂકીને બધાને માટે સુવાચ્ય બનાવી દીધો. મા અધ્યાત્મ તવાલેક “સાતત્તા ' નામથી મૂળ પ્રાકૃતમાં અને તે પણ ૫૦૦ શ્લોકમાં કાવ્યરૂપે લખાય હતે. એનો આ પ્રથમ ગ્રંથ વાંચી શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદી જેવા ભારત પ્રસિદ્ધ પંડિત આ ઉગતા યુવાન સાધુની ઊંચી કાવ્યપ્રતિભા, જ્ઞાનવૈભવ અને તર્કસંગત દલીલો વાંચી મુગ્ધ બની ગયા હતા.
નાગપુર અને ઉજજનીના બ્રાહ્મણ પંડિતોએ પણ આ જ સમયમાં આ તે અશ્વઘોષ (વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ પંડિત) છે કે સંસ્કૃત સાહિત્યના અજોડ મહાકવિ કાલીદાસ છે એવી પ્રશસ્તિઓ સાથે એમને માનપત્ર અર્પણ કર્યું હતું. પણ આ નિસ્પૃહી મહાભાએ માનપત્રની એક પણ આપી સાચવવાને વિચાર કર્યો નથી.
સંસ્કૃતના તો તેઓ એવા પ્રખર વિદ્વાન હતા કે સંસ્કૃતમાં લેકે તે બનાવતા પણ સંસ્કૃતમાં વ્યાખ્યાન આપીને ભલભલા વિઠાને ને તેમણે મુગ્ધ કરી દીધા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org