________________
ભગવાન પાર્શ્વનાથે ચાર મહાવ્રતને માર્ગ દર્શાવ્યા અને શ્રી મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતના માર્ગ દર્શાવ્યા. શ્રી વર્ધમાને
અચેલક” ધર્મ બતાવ્યા અને શ્રી પાર્શ્વનાથે વસ્ત્ર પરિધાનની મેકની અનુજ્ઞા આપી-એ પણ પરિવર્તન છે જ.
આ માટે છે ગૌતમસ્વામી કહે છે કે શાસ્ત્રોના જન ક્ષાથી નિર્ણય ન થઈ શકે, પણ પ્રજ્ઞાથી વસ્તુસ્થિતિ સમજવી જોઈએ. જે સમય છે જેવા છે તે પ્રમાણે ધર્મના આચાર-વિધાન નિરૂપાય છે.
સમયના સંજોગે જઈ શાસનહિતની દષ્ટિએ સમાજ અને ધર્મને લાભ પહોંચે તે રીતે સામયિક સંસ્કરણ સમાજ કે સંઘ ઘડે તો તેમાં આપત્તિ નથી જ નથી.
દેશકાળને અનુસરી સાંસારિક તેમ જ ધાર્મિક બાબતમાં ફેરફાર થતા આવ્યા છે, થયા કરે છે અને યોગ્ય આકારમાં થવા જ જોઈએ. સમયાનુકૂળ ગ્ય પરિવર્તન કે સંસ્કરણ સમાજ કે સંપ્રદાયને જીવિત રાખવા કે પ્રગતિશીલ બનાવવા માટે બહુ જરૂરી છે.
સ્યાદ્વાદ સિદ્ધાંતમાં પણ ભિન્નભિન્ન દષ્ટિબિંદુ પર સંગત થતાં પરિવર્તનોને યથાયોગ્ય સત્કારવાની પ્રરૂપણ છે.
ગ્ય સુધારા કાઈના ઘરને માટે કે વ્યક્તિત હેય નહિ પણ સમાજના કલ્યાણ માટે જરૂરી પરિવર્તન કરવાં જ જોઈએ. આવા પરિવર્તનમાં દૃષ્ટિબિંદુ ઉજ્વળ જોઈએ. શાન્ત ચિત્તે બધાએ ગંભીરતાપૂર્વક વિયાર વિનિમય કરીને, ઉદારવૃત્તિથી લાભાલાભનો વિચાર કરીને કરવાના પરિવર્તને સમાજના કલ્યાણ માટે કરવા જરૂરી છે. તેમાં શાસનને જયજયકાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org