________________
સમયધમ
vacae
oowooncourocracao
સમય શબ્દનો અર્થ કાળ, વખત, સમય, કરીએ એથી સમયધર્મ'ને અર્થ સમયને, વખતને, કાળને અનુકૂળ યોગ્ય આચરણ વર્તન કે કર્તવ્ય એમ કરીએ તે પણ કંઈ વાંધે નથી અને એ અર્થ “આગધર્મ' “પ્રવચનધર્મ' જેવા શબ્દોમાં પણ નિગૂઢ રહેલો છે. કેમકે “આગમધર્મ' શબ્દનો અર્થ એ જ છે કે આગમાક્ત દ્રવ્યક્ષેત્ર કાલભાવના અનુસારી અનેકાન્ત દુષ્ટીપૂત જે ધર્મ તે આગમધમ.
નિશ્ચયધર્મ જે સ૫ગૂ, દર્શન, જ્ઞાન, ચારિત્ર છે તે ત્રણે કાળમાં હંમેશાં સર્વત્ર પૂર્ણ સ્થિર છે. એમાં કોઈ કાળે કંઈ પણ ફરક ન આવે. પણ વ્યવહારધર્મ અર્થાત ધર્મના બાહ્યવ્યવહાર સર્વદા એકરૂપે ચોકકસ ન હોય. એ પરિવર્તનગામી છે. કાળે કાળે બદલતા જ રહે. એમાં કોઈ શંકા કરવાનું છે જ નહિ.
વરઘોડા, ઉજમણું, જમણવાર, પ્રભાવના વગેરે વગેરે સમય પરિસ્થિતિ પ્રમાણે અનેક નવાં નવાં વર્ધિત, પરિષ્કૃત આયોજન ઘડાય છે. જગતના પરિવર્તનની આ પ્રકારની ઘટમાળ સમજવા જેવી છે.
જૈન ધર્મની રીતભાતમાં પણ સમયે સમયે અનેક પરિવર્તને થતાં રહ્યાં છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં સમયબળે જેમ કાન્તિનું પર ધસી આવે છે તેમ ધાર્મિક પ્રકરણમાં પણ બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org