________________
પપ
પ્રવચન :
સ્ત્રીપુરુષ એ સમાજરૂપી કે ધર્મરૂપી રથનાં બે પૈડાં છે. બે પૈડાં બરાબર હોય તે રથની પ્રગતિ થઈ શકે છે. તેમ સ્ત્રીપુરુષ દંપતિ પરસ્પર યોગ્ય ગુણસંપન્ન હેય તે તેઓ પોતાને ઉત્કર્ષ શોધી શકે, ગૃહસ્થાશ્રમને શોભાવી શકે અને તેમનાથી સમાજ અને ધર્મની ઉન્નતિ પણ થાય.
સ્ત્રી એ સૃષ્ટિની માતા છે. તેની અજ્ઞાન દશા સંસારને માટે શાપરૂપ છે. નારી જીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ ન થાય ત્યાંસુધી જગતને અંધકાર દૂર ન થઈ શકે. માતાના સંસ્કારો બાળકમાં ઉતરે છે. માતા જો સુસ કાર શાલિની હેય તે બાળકના જીવનમાં સારા સંસ્કાર પડે. માતાના વિચાર, વાણી અને વર્તન ઉરચ હોય તે તેને સુંદર વારસો બાળકને પ્રાપ્ત થાય છે. બાળકબાલિકાના જીવસુધારને મુખ્ય આધાર માતા પર રહેલે છે. દરેક માતાએ પિતાના બાળ માટે, પોતાના કુટુંબના કલ્યાણ માટે અને દેશના કલ્યાણું મટે વિચાર, વાણું, વર્તનમાં ઉરચ બનવાની આવશ્યક્તા છે.
ઘર અને ઘરનું વાતાવરણ તથા માતાના ઉચ્ચ વિચારો ને ભાવનાઓથી બાળકના જીવનનું ઘડતર થાય છે. સ્કૂલમાં તે શેઠા કલાકમાં શિક્ષણ માત્ર મળે પણ આજની શાળાઓ સુસંસ્કાર આપી શકતી નથી.
આજની કન્યાઓ એ આવતી કાલની માતા છે. તેમને વ્યવહારિક શિક્ષણ, ભાષાજ્ઞાન, ગૃહવ્યવસ્થા, માતૃત્વ, બાળઉછેર, સાથે સદાચાર, શીલ, સયંમ લજજા, બળ, હિંમત, વિવેક, પતિભક્તિ, સેવાધર્મ, કુટુંબપ્રેમ, વગેરે આપવામાં આવે તે એ માતા મહાપુરુષો, તીર્થકરો, પયગંબરોને જન્મ આપનારી થઈને જગતની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org