SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ છે, બીજભૂત થયું. ભીમસેનના પરાક્રમની લોકોમાં કીર્તિ વધી, તે જાણે દુર્યોધનના મનમાં વાવેલા પર ઈવીરૂપ બોજો ફડો ફૂડ્યો હોયની! પછી પોતાના ભાઈઓને ભીમ ઘણો ખેદ આપે છે એમ ? છે જાણીને દુર્યોધન ગર્વથી તથા કોપથી બોલ્યો. દૂધન–હે ભીમ, તું મારા ન્હાના ભાઈઓને શા સારૂ ખેદ આપે છે. જે તારી ભુછે જઓને ખરજ થતી હોય તે મારી સામે આવી જ. એવું ગર્વનું બોલવું સાંભળીને) : ' ભીમ–હે ભાગ્યશાળી, હું કાંઈ મારા ભાઈઓને દેષ કરતો નથી. અને જાણી જોઈને દુઃખ પણ દેતો નથી. એ તો મારી સહજ રમત છે. જેવું જેનું શરીર હોય તેવી જ તેની રમત છે હોય છે, જેમ હાથી વનમાં રમતાં સહજ માત્રમાં વૃક્ષોને ઉખેડી નાખે છે તેમ મારા વિષે પણ જાણે છે લેવું. માટે મારી ઉપર તમને કોપ કરવો જોઈતો નથી. તેમ છતાં જો કોપ અથવા ક્રોધ કરીને ગર્વના યોગે કાંઈ કરશે તો તે મોટું અવિચારનું કૃત્ય કહેવાશે. એવું છતાં પણ તમે કહ્યું કે, જો તારી ભુજાઓમાં ખુજલી થતી હોય તે મારી સામે આવી જા.” તે અયોગ્ય વચને છે. એ ગર્વના બોલવાનો ઉત્તર હું આમ આપું છું કે, સાંબે આવવાને હું તૈયાર છું. પણ જેમ છે મહા મદોન્મત્ત હસ્તિના ગંડસ્થળની ખુજલી એરંડના ઝાડને ઘસવાથી નાશ પામતી નથી, તેમજ ( મારી ભુજાઓની ખુજલી તમારી સાંબે થયાથી મટવાની નથી. તેમ છતાં જે તમારા બાહુમાં પરાક્રમ હોય તે મારી સામે આવો. હું માયુદ્ધ કરવાને હમેશ તૈયાર છું. પરંતુ સામે આવતાં પહેલાં પોતાના બળવિષે સારી પદે વિચાર કરજો. છે એવાં તિરસ્કાર યુક્ત ભીમનાં વાક્ય સાંભળીને પરાક્રમી જે દુર્યોધન તેને ભાવ્યું નહી; & SS અને કમર કશીને મલ્લયુદ્ધ કરવાને તૈયાર થયો. એવું અયોગ્ય કૃત્ય જોઈને યુધિષ્ઠિરે બન્ને ભા ઇઓને યુદ્ધ ન કરવા વિશે ઘણું ઉપદેશ કરે છે પણ કોઈએ પોતાનો આગ્રહ મુ નહી. ધ અને મલ્લકુસ્તી થવાની તૈયારી થઈ તે જોઈને બધા છોકરાઓ વગેરે જેવાને વાતે એક થયા. કોડ અને પ્રકારની પકે ઘેરા કરીને ઊભા રહ્યા. પછી મલયુદ્ધ થવા લાગ્યું. જે પણ બન્નેમાંનું એકે મલ્લયુદ્ધ કરવાની વિદ્યા સીખ્યો નહોતો તે પણ તેઓનું એવું દારૂણુ યુદ્ધ થવા માંડયું કે, માનું બળ તે શા હિશાબમાં બન્નેનાં શરીરમાં અતુલ બળ હોવાથી પ્રત્યેક ક્ષણને વિષે કોઈ નીચે ) કોઈ ઉપર પડી જતા હતા. એમ કરતાં થોડી વારમાં દુઃશાસનને ચરો કાંઈક ફીકો પડી ગયો અને અર્જુનનું મુખ આનંદથી પ્રકુલિત થયું. તે જાણે દુર્યોધનના બળની ન્યૂનત્વ અને ભીમસેનના બળની અધિકતા દર્શક ચિન્હજ હોયની! ભીમે અતિ ચપળતાથી દુર્યોધનના શરીરની ઉપર જ એવો તે મુષ્ટિ પ્રહાર કરવા માંડશે કે, દુર્યોધન અત્યંત બળ હીન થઈ ગયો. અને ગ્લાનીને તો, ૭) પામીને ભાઈઓને જઈ મળ્યું. ત્યારે ભીમ પણ પોતાના ભાઇઓની પાસે ગયો. તેના આંગ २२ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy