SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Mી ભુજ બળ યુક્ત અને ત્રિલોકને તાલિન કરવાને સમર્થ એવા નિવડવા લાગ્યા. તે એકશે ને જે પાંચે ભાઈએ હસ્તિનાપુરમાં યથેચ્છ વિચરવા લાગ્યા. નિત્ય પ્રાત:કાળમાં ઉઠીને અનુક્રમે ભીષ્મ પિતાને, ધ્રુતરાષ્ટ્રને, પાંડન, વિદુરને, સત્યવતીને, અંબિકાને, અંબાલિકાને, અંબાને, ગાંધારીને, તથા કુંતીને વંદના કરે, તેથી તે બધાને સરખી રીતે વાલા લાગે. જેમ સુગરની સર્વ શિ ચોની ઉપર સમદ્રષ્ટિ હોય છે, તેમ ભીષ્મ પિતાદિક વડીલોની બધા પુત્રની ઉપર સમાન ભાવના છે રહેતી હતી. પાંડના પાંચે પુત્રો બાળપણાથીજ જિનભત થયા. તેથી અહંત પ્રતિમાની અત્યંત છે. આરાધના કરવા લાગ્યા. રાતદિવસ પંચપરમેટીનું સ્મરણ કરતા રહેતા, કહ્યું છે કે, પૂર્વ ભવમાં છે. જેનો જેવો નિશ્ચય હોય તેને ઉત્તર ભવમાં કનુસાર તેવુંજ ફળ પ્રાપ્ત થાય છે; અથવા તેવીજ ચેષ્ટા થાય છે. પાંડવો સર્વ શુભ કૃત્ય કરવા લાગ્યા; અને તેઓને સુખ સાતામાં કાલ નિર્ગમન છે? થવા લાગ્યો. કોરો પણ પોતાના પૂર્વ જન્મના કર્મોનુસાર યથેચ્છ ચેષ્ટા કરવા લાગ્યા. કોઈ વખતે કૌરવો અને પાંડવો સાથે મળીને ખેળવા જાય, ત્યાં પ્રત્યેક પોતાનું બળ અજમાવવાને વાસ્તે નાના પ્રકારે ખેળ કરે; કોઈ સમયે હોડ બકીને સાથે દોડે, કોઈ સમયે . ગંગાના કિનારા ઉપર જઈને કુદકા મારે; કોઈક સમયે જલમાં પેશીને ક્રીડા કરે, કોઈ સમયે યમુઆ નાના તટ ઉપર ઉભા રહીને પાણીમાં ભુસકા મારે; કોઈ વખતે કુસ્તી કરે, અને કોઈ વખતે રેતીમાં નાના પ્રકારની કારતો કરે. એ પ્રમાણે વિવિધ પ્રકારની રમવાની કળાઓમાં ભીમ સર્વોપરિ થતો હતો તે સર્વ ભાઇઓ ઉપર નિર્મળ સ્વભાવવાળો યુધિષ્ઠિર સમાન પ્રેમ રાખતો હતો. તે પણ દુર્યોધન ઉપર તેની સર્વ કરતાં અધિક પ્રીતિ રહેતી હતી. ભીમની પણ યદ્યપિ SS બધા ભાઈઓ ઉપર પ્રીતિ તો હતી તોપણ એની ક્રીડા એવી હતી કે, તેથી દુઃશાસનાદિકને પીડા થયા વિના રહેતી નહી. જેમકે, એક સમયે ભીમે કૌરવોને લીલા માગે કરી એવી રીતે બગ% ળમાં ઘાલીને ચપ્યા કે, તેઓને શ્વાસ રૂંધાઈને મૃત્યુતુલ્ય થઈ ગયા. કોઈ સમયે તેઓની સાથે એવી તે ટકર લેતો કે, તેમનાં માથાં પણ ફૂટી જતા હતાં. કોઈ વખત પગની ફેટમાં લઈને છે એવી રીતે દોડતો હતો કે, તેથી તેમને નાકમાંથી તથા લલાટોમાંથી લોહી નીકળતું હતું. કોઈ છે એ સમયે તેઓને ભુજમાં લઇને પાણીમાં એવી તે ડબકી મારતો હતો કે, તેથી તેઓ મૃત્યુમાય કે થતા હતા. કોઈ સમયે વક્ષોની ઉપર તેઓને રમતા જોઇને ફળના અભિલાષથી તે B વૃક્ષોને નિર્મલ કરી નાખતો હતો. ઈત્યાદિક નાના તરેહથી ભીમ તેમને દુખ દેતો હતો તે પણ 2 એ સ્નેહથીજ કરે છે એમ જાણીને તેના વડીલો તેની ઉપર ક્રોધ કરતા નહોતા. એવી ભીમની ચેષ્ટા તે જેમ વિસ્તીર્ણ વૃક્ષ થવાનું કારણ કેટલાએક કાલ પહેલા જમીનમાં વાવેલું બીજ છે, તેમ તો જી કૌરવો તથા પાંડવોનું મોટું વૈર થવાનું કારણે દુર્યોધનના મનમાં ન્હાનપણમાં રહેલી ઈરૂપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy