SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઠેકાણે અથડાયો હતો. તે બધા સ્થળોની પુષ્પ તથા અક્ષતો વગેરેથી તેઓ પૂજા કરવા લાગ્યા તે બધું કરી લીધા પછી તે ખાલકને સાથે લઈને કુંતિ તથા રાજા પોતાની રાજધાનીમાં આવ્યા. અને ત્યાં મોટો ઓચ્છવ કરો. પછી આનંદે કરી સુખ ભોગવવા લાગ્યા. એમ કરતાં કેટલોએક કાલ વીત્યા પછી કોઈ એક સમયને વિષે પ્રાત:કાળે કુંતિએ સ્વપ્રમાં ઈંટને ઐરાવત ઉપર બેઠેલો દીઠો. પછી જાગી થઇને તે સ્વમનું વૃત્તાંત પાંડુ રાજાને કહ્યું. તે શાંભળીને રાજા બોલ્યો કે, તને ઈંદ્રેના જેવા પરાક્રમી પુત્ર થશે. તે શ્રવણ કરીને કુંતિ રાજી થઈ. તે દિવસથી કુંતિને ગર્ભ રહ્યો. કેમકે, પ્રાત:કાળમાં આવેલા સ્વપ્રનું ફળ જલદીજ પ્રાપ્ત થાયછે. અનુક્રમે તે ગર્ભના પ્રભાવથી કુંતિને ધનુષ્ય ધારણ કરી સમુદ્ર પરિવેતિ પૃથ્વીને વિષે થતા ઉપદ્રવોને નાશ કરવાનો અભિલાષ થવા લાગ્યો. પ્રાણાંત કરનાર યમ, યોગ્ય સમયે પ્રાણીઓના પ્રાણને હરણ કરવા રૂપ પોતાનું નિયત કૃત્ય કરતો છતાં તેની ઉપર ક્રોધાચમાન થઈને તેને પણ શિક્ષા કરવાની ઉમેદ કરવા લાગી. રાહુ તથા કેતુ માત્ર કોઈ કોઇ સમયેજ ચંદ્ર તથા સૂર્યનું ગ્રહણ કરતા હતા, તોપણ તેને દંડ કરવાની આકાંક્ષા થવા લાગી. ઈત્યાદ્રિક અનેક મનોરથો તે ગર્ભના પ્રભાવથી તેને થવા લાગ્યા. એવા ક્રમે કરી નવ માસ પૂરા થયાથી શુભ મુહૂર્ત્તમાં કુંતિએ પુત્રને જન્મ આપ્યો. તે સમયે આકાશવાણી થઈ કે, આ પુત્ર, મોટા ભાઈઓની ભક્તિ કરનાર, મોટો ધનુર્ધર, મહા વીર, નીતિમાન, શૂર તથા આનંદી થશે. અને અનુક્રમે દીક્ષા લઇને મોક્ષ પામશે. પછી આકાશમાં દેવો દુંદુભી વગાડવા લાગ્યા. રંભા તથા ઉર્વશી પ્રમુખ અપ્સરા નૃત્ય કરવા લાગી. મોટા મોટા કિન્નરો મનોહર ગાયન કરવા લાગ્યા. એ પ્રમાણે એ પુત્રનો જન્મ થયાથી આકારાવાશી દેવોને પણ હર્ષ થયો તો માણશોને થાય તેમાં શું કહેવું! તઃનંતર પાંડુએ જન્મ મહોત્સવ કરો. એના ગુણો સહસ્ત્રાર્જુનના જેવા હોવાથી એનું નામ અર્જુન એવું પાડશું. · સ્વપ્રમાં ઇંદ્રનું દર્શન થયા પછી કુંતિને ગર્ભ રહ્યો તેથી અને ઈંદ્રપુત્ર પણ કહેવા લાગ્યા. કેટલાએક દ્વિવસો વીત્યા પછી એક સમયે માદ્રીને એક શુભ સ્વપ્ર આવ્યું, અને સગર્ભા થઈ, પછી તેણે પૂરે માસે યુગલ પુત્રોને જન્મ આપ્યો. તે સમયે આકાશવાણી થઈ કે, એ બન્ને પુત્રો, સાત્વિક, શૂર, સિદ્ધ, તથા ગુરૂપ્રિય થશે. પછી પાંડુએ તે પુત્રોમાંના એકનું નામ નકુળ ને ખીજાનું નામ સહદેવ પાડશું. એમ કુંતીના ત્રણ પુત્ર અને માદીના બે પુત્ર મલી પાંડુના પાંચ પુત્રો થયા એ પાંચે પુત્રોની કીર્ત્તિ ાનપણથીજ આખા જગતમાં પસરી ગઈ. ધૃતરાષ્ટ્ર રાજાની જે ગાંધારી પ્રમુખ આઠ સ્ત્રીઓ હતી તેઓને દુર્યોધનના જન્મ પછી Jain Educationa International 1 For Personal and Private Use Only ૮૧ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy