SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઓ ય છે તેમ ચરની સહાયતા કરનારને પણ શિક્ષા કરવી છે. (એવાં તેનાં વચનો સાંભળી પર વૃકુટી ચાવીને તિરસ્કારથી કૃષ્ણ બોલ્યો) કણ–હે દુર, તું ફોકટ શું બકે છે. તે પ્રથમ કરેલા દુર કમેનાં ફળો તને આ સભામાંજ પ્રાપ્ત થશે. (એમ કહી જેમ તિમિરને નાશ કરવાને ઉદયાદિ પર્વત ઉપર સૂર્ય ચડે છે તેમ કંસને મારવાને કૃષ્ણ તેના આસન ઉપર ચડશે. અને પોતાની માતાના છે ગર્ભ પ્રસવ થતાંજ ( આ દુષ્ટ મારવા છે એવું ધ્યાનમાં લાવીને નિ:શંક કહેવા લાગ્યો કે) હે અધમાધમ કંસ, જે કોઈ તારો મિત્ર અથવા બાંધવ હોય તેને તારી સહાયતા કરવાને અહીં બોલાવ, તંજ મારા તરતના ) જન્મેલા ભાઈઓને શિાળા ઉપર પછાડીને માણ્યા હતા નહીં! એ વાત હજી ભૂલી તે ગયો નહીં કે S હોઇ તને તારા પરાક્રમને અતિ ગર્વ હોય તે શસ્ત્ર લઇને આવ. (એવાં વચને બોલી તેના ? માથા ઉપર લાત મારીને તેનો મુગટ નીચે નાખી દીધો અને તેના કેશ પકડીને તેને સિંહાસન - ઉપરથી નીચે પાડી દીધી. પણે બળરામ પણ મુષ્ટિકની સાથે એવું તે ક્રૂર યુદ્ધ કરતો હતો કે, તેના વેષથી બધા લોકો કાંપવા લાગ્યા. કંસ જમીન ઉપર પડી પરસાથી ભીંજાઈ ગયે, અને તેમાંથી અશ્વની થઈ જી ધારાઓ વહી રહી છે; શરીર થરથર કાંપી રહ્યો છે અને દીન મુદાએ કરી ગમ જેવા લાગે. ) ( ત્યારે જેઓએ હાથમાં ભાલા લીધા છે, કોઈના હાથમાં ખડગ છે, એવાં કંસના ઘણા યોદ્ધાઓ, ત) આ દુષ્ટને પકડો, મારો, એવા અવાજ કરતા આવી કૃષ્ણને ઘેરી લેવા લાગ્યા. એટલામાં મુષ્ટિકને મુષ્ટિના પ્રહાર વડે બલદેવે મારી નાખ્યો; અને જેમ ગરૂડ પક્ષી સાપ ઉપર પડીને તેમને ક્ષણ વારમાં સંહાર કરી નાખે છે, તેમ બળદેવ તરત દોડીને પેલા યોદ્ધાઓનો સંહાર કરતો હો. પછી સભામાં કણે કંસની ઘણી નિંદા કરી કેશ ગ્રહી નીચે પાડી છાતીમાં લાત મારીને તેને યમપુરીએ મોકલાવી દીધો. કૃષ્ણના ભયથી કંસે જરાસંધનું સૈન્ય બોલાવીને પોતાની પાસે રાખ્યું હતું તે કૃષ્ણની ઉપર મારવાને તૂટી પડ્યું. તે જોઈને સમુદ્ર વિજ્યની ફોજ જરાસંધની ઉપર તૂટી પડી. પરસ્પર બન્ને ફોજનું તુમુલ યુદ્ધ થયું. જરાસંધની ફોજ ધણી વિનાની અને સમુવિજ્યની ફોજ સસ્વામિક હોવાથી જેમ ઘાસને પવન ઉરાડી નાખે છે તેમ તે બધું વિખેરી નાખ્યું. પછી કણે કંસના માથાના કેશ પકડી સભા મંડપમાં ફેંકી દીધો. તેને જોઈને સભામાં SB અતિ કોલાહલ થઈ રહ્યો. ત્યાંથી યાદવ ઉશને પોતપોતાને ઘેર ગયા. અનાર્દષ્ટિ ધ હર્ષિત ) થયો થકો બળદેવ અને કૃષ્ણ એ બન્નેને પોતાના રથમાં બેસાડીને વસુદેવને ઘેર લઈ ગયો. ત્યાં આ બીજા યાદવો પણ એકઠા થયા. તે બધા કુટુંબીઓને જોઇને કૃષ્ણ અતિ આનંદને પામ્યો. મથુ- ૮ ૭) રાના લોકો ટોળે ટોળા મળીને કૃષ્ણને નિરખવા લાગ્યા. વસુદેવ પોતાના પુત્રને જોઈ અતિ Cછે ૦ d Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy