SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ @ @ - - હ મંત્રી-હે રાજા, આપે કહી તે વાત યદ્યપિ સત્ય છે તથાપિ મુનિનાં વચન વ્યર્થ કેમ ? Sણ થશે. માટે આપણે નિર્ભય રહેવું ન જોયે, અને પોતાનું કાર્ય સાધી લેવામાં ઢીલ પણ કરવી ન ? . જોકે, તેમજ મુનિનાં વચને જરૂર સાચાં થનાર છે, એમ વિચારીને તે ઉદ્યોગને મૂકી દેવું જોઈતું પણ તા નથી. માટે શત્રુ સન્મુખ બેઠેલે છે તેનો પરાજ્ય કરવામાં હવે ઢીલ કરવી જોઈતી નથી, કંસ- બ્રહસ્પતિ, હવે શું એ આપણા હાથમાંથી નીકળી જવાનો છે કે, જેની ઉપર છે હું કોપાયમાન થાઉં તેની કોણ રક્ષા કરનાર છે. જો તો ખરો વસુદેવ પ્રમુખ એની કેવી રીતે ( રક્ષા કરે છે. બધાને દેખતાં હું એક પળમાં કૃષ્ણને મારી નાખીશ, કદી છોડવાનો નહી ચાર મધને બોલાવ્યો છે તે હમણા આવ્યો જોયે (એટલામાં મહા બળવાન તથા શરીર પુષ્ટ એવા ચાણુર અને મુષ્ટિક નામના બન્ને મલો ? ત્યાં આવી પહોચ્યા. તેમને જોઈ પોતાનું મોત પાસે આવેલું તેથી ભયભીત થયે થકો કંસ - તેમાના ચાણુરને દૂરથીજ શાન કરવા લાગ્યું કે આ કૃષ્ણને માર, તે ઈસારત સમઝીને તથા કો સભામાં આવીને કૃષ્ણની સાંબે ક્રૂર કટાક્ષો વડે જેવા લાગ્યો. જેઓના વાળો બાંધેલા છે, આંગ (ઉપર ચંદનનું લેપન કરવું છે, કમરમાં મજબુત વજૂ કછોટા મારેલા છે, અને જેઓનાં પાષાણુના ) જેવાં સખ્ત ઠગણું શરીર જોઈને લોકો આશ્ચર્ય પામવા લાગ્યા. તેમાંથી ચાણર બોલ્યો. ચાણ—હે સભા મંડપને વિષે બિરાજેલા ક્ષત્રિય, અહી જે કોઈ શૂર ક્ષત્રિયોમાં પણ છે | મહા શૂરવીર ક્ષત્રિય હોય તો તે મારી સાંબે યુદ્ધ કરવાને આવી જાય! આ મારું વચન સાંભળીને કે કાયરની પદે ગુપચુપ થઈ માથું નીચું કરી બેસી રહેવું કોઈ પણ ક્ષત્રિય વંશને ઉચિત નથી. આ સમય ફરી ફરી આવતો નથી. . એવાં સર્વ ક્ષત્રિઓને તિરસ્કાર કરનારાં ચાણનાં વચન સાંભળીને કૃષ્ણ સિંહની પઠે ઝટ સિંહાસન ઉપરથી નીચે ઊતરીને તેની પાસે જઈ કહેવા લાગ્યો. કૃષ્ણ—હે દુષ્ટ, શૂર ક્ષત્રિયોમાં પણ મહા શૂરવીર, બળવાનમાં બળવાન અને તાર ) શરીરનું ક્ષણ માત્રમાં ચૂર્ણ કરનાર આ તારી સાંબે મલ્લયુદ્ધ કરવાને હું તત્પર છું; હે મૂખે સર્વને આ દેખતાં દેખતાં રમત માત્રમાં આ તાર પુષ્ટ શરીરનાં બે ભાગ કરી નાખી દેઉં તોજ હું કૃષ્ણ આ અરે, અધમ, મેં તે પણ લીધું છે કે મારા પ્રતિપક્ષી બધાને મારી નાખવા. ત્યારે તું એકલો ણ તે શા હિસાબમાં છે!! માટે હવે તું સાવધાન થા, મારા હાથથી કદી છૂટવાનો નથી. - એવાં અતિશય ચાણકનાં વચનો કૃષ્ણના મુખથી નીકળેલાં સાંભળી આંખો લાલચોળ કરી અતિ ક્રોધાયમાન થઈને ચાણુર બોલ્યો. ચાણૂર–અરે બાળ ગોપાળ, તું શા સારૂ આટલી બધી લવરી કર્યા કરે છે. અને ગમે તે છેલ્ફફ્ટી . - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy