SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ માખણ પ્રમુખ વસ્તુઓ ખાઈ જઈ, મટુકીએ ફોડી ઘણું નુકશાન કરીને સર્વ લોકોને ઘણું દુઃખ ૨ દેવા લાગ્યા. બધા રહેવાસીઓને હેરાન હેરાન કરી મૂક્યા. પ્રજા આકુળ વ્યાકુળ થતી જોઇને ઘર નંદ રાજા અતિ ખેદ કરવા લાગ્યો. તેની સાથે ફની પણ ચિંતા થઈ કે રખેને એ દુષ્ટોના પાટામાં આવી જાય. પણે કૃષ્ણને એ સર્વ વૃત્તાંત ગેપોએ આવી કહ્યું. તેથી તે ગોકુળમાં આવી પહોતો. અને કશી તથા અરિષ્ટને હાક મારીને કહેવા લાગ્યું કે, હું દુ મારી સામે ' આવી જાઓ. પ્રજાને શા સારું દુખ દિઓ છો. એમ કહીને તેઓની પાસે ગયો. એટલામાં છે. જેના અણીએ વાલા શીંગડા ઊંચા છે એ પાવના જેવો અરિષ્ટ પણ કચ્છની સામે દોડ્યો, ID તે દુષ્ટ નજીક આવતાં જ કૃષ્ણ તેનાં સીંગડાં પકડી ગરદન મરોડી નાખી અને મુટીનો પ્રહાર કરીને તેને જીવથી મારી નાખ્યો. અરિષ્ટ પ્રાણુનો ત્યાગ કરતાં જે અદભુત શબ્દ ક તે કંસના મરણ નાટક નાંદી થયો એમ જાણવું. એવી રીતે કૃષ્ણ અરિષ્ટ દુષ્ટને મા એટલે ગોપીઓએ જ્ય જ્ય શબ્દો વડે તે સ્થળ ગજવી નાખ્યું. તે જણે નાટકરૂપ ગ્રંથ રચના કર્તા પ્રારંભમાં - કાર શબ્દ કરી મંગલા ચરણ કરતો હોયની! અને એજ કૃષ્ણના યશે વૃક્ષને અંકુર થયે. પછી કશી પણ લોકોને ઘણો ઉપદ્રવ કરે છે એમ જોઈને તેની સામે આવીને કૃષ્ણ કહેવા લાગ્યો કે, હે દુષ્ટ, તું પણ ગોકુળને ઘણું દુખ દિયે છે તે શું કૃષ્ણને જાણતો નથી. માટે તેને પણ હમણાજ ) અરિષ્ટની દશાએ પોચાડીશ. ગોકુળને કોઈ રક્ષક હશે એવી તને શું ખબર નથી. પણ હવે તો Sછે. મારા હાથ જો; એવાં કૃષ્ણના તિરસ્કાર યુકત વચને સાંભળીને કેશી પોતાનાં ખુણે વડે ક્રોધે વE કરી જમીન ખોદવા લાગ્યું. અને પોતાનું મુખ વિકાસીને કૃષ્ણની સામે એકદમ ચડી આવ્યો. ત્યારે તેની પાસે જઈ યમદંડના જેવા પોતાના હાથે તેના મુખમાં ઘાલીને જેમ જીર્ણ વસ્ત્રોને ફાડી નાખીએ તેમ શ્રીકૃષ્ણ તેને ચીરી નાખ્યો. તે જોઈને ગોકુળના રહેવાસીઓએ કૃષ્ણની સ્તુતિ કરવા માંડી. તરૂણ ગોપીઓ તેની ક્ષેમતા ચાહીને ઓવારણા લેવા લાગી. અને એવું માં અભુત કૃત્ય કર્યાથી તેના મુખની સામે જોઈ જોઈને સર્વ પ્રસન્ન થાતા હવા. ણે અરિષ્ટને તથા કશીનો વધ કર્યો એ વૃત્તાંત કંસના દૂતોએ કંસને જઈ કહ્યું. તે સાંભળીને કસે જાણ્યું કે મુનિની વાણી મિથ્યા થવાની નથી. પછી કંસે પોતાના હસ્પતિ નામના પ્રધાનને બોલાવીને કહ્યું કે, હે મંત્રી, ગોકળમાં મારો શત્રુ આનંદ પૂર્વક નિઃશંક વિચરે છે. તે શી રીતે પકડવો. તેનો વિચાર કરો. બહસ્પતિ–હે દેવ, ધનુયગ મહોત્સવ કરીને સમગ્ર ક્ષત્રિય રાજાઓને બોલાવો. તેની સાથે એમ કહેવરાવો કે, જે મારું સારંગ નામનું ધનુષ્ય ચાવશે તેને મારી સત્યભામાં ૭) નામની બહેન પરણાવીશ. એમ કરવા સારૂ એક સભા મંડપની રચના કરાશે. તેમાં બિરાજવા છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy